1. Home
  2. ગુજરાતી
  3. મધ્યપ્રદેશ:જબલપુરની હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા નાસભાગ,અત્યાર સુધીમાં આઠ દર્દીઓના મોત
મધ્યપ્રદેશ:જબલપુરની હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા નાસભાગ,અત્યાર સુધીમાં આઠ દર્દીઓના મોત

મધ્યપ્રદેશ:જબલપુરની હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા નાસભાગ,અત્યાર સુધીમાં આઠ દર્દીઓના મોત

0
Social Share
  • જબલપુરની હોસ્પિટલમાં લાગી આગ 
  • આગ લાગતા મચી નાસભાગ
  • અત્યાર સુધીમાં 8 દર્દીઓના થયા મોત 

ભોપાલ:મધ્યપ્રદેશના જબલપુરની એક હોસ્પિટલમાં આગની ઘટનામાં આઠ દર્દીઓના મોત થયા છે. આ હૃદયદ્રાવક ઘટના જબલપુરની ન્યુ લાઈફ હોસ્પિટલની છે.આગના સમાચાર મળતા જ સમગ્ર હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ હતી.સર્વત્ર અફરાતફરીનો માહોલ હતો.

આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી.જે બાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

કાઉન્સિલરના જણાવ્યા અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં 8-9 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.હોસ્પિટલમાં આગના સમાચાર મળતાં જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જબલપુરનો સંપર્ક કર્યો હતો. કલેકટર સાથે ફોન પર વાત કરી હતી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code