Site icon Revoi.in

મહરાષ્ટ્ર જેલના કેદીઓ હવે પાણીપુરી અને આઇસક્રીમના સ્વાદની પણ માણી શકસે મજા, મેન્યૂમાં નવી વાનગીઓ સામેલ

Social Share

મુંબઈ – હવે મહારાષ્ટ્ર  જેલના કેદીઓ પાણીપુરી અને આઇસક્રીમના સ્વાદ  ની પણ મજા માણી શકશે  કારણ કે  તાજેતરમાં, મહારાષ્ટ્ર જેલ વિભાગ તરફથી એક મોટું અપડેટ આવ્યું છે, વિભાગે જેલની કેન્ટીનમાં ઘણી વસ્તુઓ શામેલ કરી છે. મેન્યૂ માં અનેક વાનગીઓ એડ કરવામાં આવી છે .

જાણકારી પ્રમાણે આ ખાવાની વાનગીઓ  કેદીઓ સરળતાથી ખરીદી શકે છે. રાજ્યની તમામ જેલોમાં કેદીઓને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે કેન્ટીન કેટેલોગમાં કુલ 173 વસ્તુઓ ઉમેરવામાં આવી છે.

આ સાથે જ આ યાદીમાં ઉમેરાઓમાં બર્મુડા શોર્ટ્સ અને ટી-શર્ટ્સ છે, ખાસ કરીને અન્ડરટ્રાયલ માટે, તેમજ ચાટ મસાલા, અથાણું, નારિયેળ પાણી, ચેસ બોર્ડ, ઓટ્સ, કોફી પાવડર, લોનાવાલા ચિક્કી, ખાંડ-મુક્ત મીઠાઈઓ, આઈસ્ક્રીમ, ઓર્ગેનિક ફળો. , પીનટ બટર, પાણીપુરી, આર્ટ બુક્સ, કલર વસ્તુઓ સામેલ કરવામાં આવી છે