Site icon Revoi.in

મહારાષ્ટ્રઃ તળોજા જેલની 22 ફુટ ઉંચી દિવાલ કુદી કેદી થયો ફરાર, હત્યા કેસમાં સજા ભોગવતો હતો

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આવેલી તળોજા જેલમાંથી હત્યા કેસનો આરોપી 22 ફુટ ઉંચી દિવાલ કુદીને ફરાર થઈ જતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. કેદી સાથે અન્ય કેદીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે જેલની દિવાર કુદીને ભાગેલા હત્યાના આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી. બીજી તરફ જેલની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાંડુપમાં 2018માં થયેલી એક હત્યાના કેસના આરોપી સંજય યાદવે તળોજા જેલમાં સજા ભોગવી રહ્યો છે. દરમિયાન જેલ વિભાગના અધિકારીઓને તે બીમાર હોવાનું કહી બપોરે એક વાગ્યે દવા લેવાના બહાને અન્ય કેદી સાનિયો કેની સાથે જેલની હૉસ્પિટલમાં ગયો હતો.

જેલમાં રાખેલા વૉચ ટાવરમાં અધિકારી ન હોવાથી સંજય એના પર ચડી ગયો હતો. ત્યાર બાદ તે ટાવરના બાહરના ભાગ પર પકડ મેળવી એની જ મદદથી 22 ફુટની દીવાલ પર ચડ્યા બાદ ઉપરથી કૂદીને જેલમાંથી ભાગવા સફળ રહ્યો હતો. જ્યારે સાનિયાએ પણ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે સફળ થઈ શક્યો ન હતો.

જેલના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘તળોજા જેલના ઇતિહાસમાં હજી સુધી કોઈ આરોપી અહીંથી ભાગવામાં સફળ થયો નથી. એનું કારણ એ છે અહીં સર્કલમાં ૨૨ ફુટની દીવાલો બાંધવામાં આવી છે. આ ઘટના પછી અમે જેલની આસપાસ આવેલી ઝાડીઓ અને અન્ય વિસ્તારોમાં શોધખોળ કરી હતી, પરંતુ તે ક્યાંય મળ્યો નહોતો. ત્યાર બાદ અમે આરોપી વિરુદ્ધ ખારઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ખારઘર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શિંદેએ કહ્યું હતું કે ‘અમે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી ભાંડુપ વિસ્તારમાં રહેતો હતો. અમારી ટીમે ત્યાં જઈને પણ તપાસ કરી હતી. જોકે ત્યાં આરોપી મળ્યો નહોતો. તેની વધુ તપાસ ચાલી રહી છે.