Site icon Revoi.in

દેશમાં કોરોનાએ વધારી ચિંતા – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15,789 કેસ, સક્રિય કેસો 90 હજારથી વધુ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે ઘીરે ઘીરે હવે ફરી એક વખત કોરોનાના કેસનો દૈનિક આંકડો 15 હજારને વટાવી રહ્યો છે તો સાથે જ સક્રિય કેસો ફરીથી 1 લાખની સ્થિતિમાં થવા જઈ રહ્યા છે હાલ 90 હજાર જેટલા એક્ટિવ કેસ જોવા મળે છે.

આવી સ્થિતિમાં જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે  તો આ સમયગાળા દરમિયાન કુલ 15 હજાર 789 નવા કેસ નોંધાયા છે, જે  છેલ્લા 100 દિવસમાં નોંધાયેલા કેસો કરતા સૌથી વધુ જોવા મળે છે.

આ સાથે જ સકારાત્મકદા દરની વાત કરીએ તો દેશમાં કોરોના પોઝિટિવ રેટ વધીને 4.32 ટકા થઈ ગયો છે. દેશના પાંચ રાજ્યોમાં સકારાત્મકતા દર 8 ટકાથી વધુ નોંધાયો છે.

જો કોરોનાથી થયેલા મોતની વાત કરીએ તો સમાનગાળામાં  20 દર્દીઓના મોત થયા છે. તે જ સમયે, કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 90 હજાર 272 થઈ ગઈ છે. એક દિવસ પહેલા જ કોરોનાના 17 હજાર 224 નવા કેસ નોંધાયા હતા અને 13 દર્દીઓના મોત થયા હતા.

દેશમાં કેસ વધવાની સાથે, નિષ્ણાતો ફરી એકવાર કોરોનાની ચોથી લહેરને  લઈને ચેતવણી આપી રહ્યા છે. નિષ્ણાતોના મતે, જુલાઈમાં કોરોનાની ચોથી લહેર આવવાની સંભાવના છે, જે ઓક્ટોબર સુધી ચાલી શકે છે. તેની ટોચ ઓગસ્ટની આસપાસ હોઈ શકે છે.