Site icon Revoi.in

મુંબઈના વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બલાયું – વીર સાવરકર સેતુથી હવે ઓળખાશે, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકને પણ મળ્યું નવું નામ

Social Share

મુંબઈઃ- વિતેલા મહિનાની એટલે કે મે ની 28 મી તારીખે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એવા એકનાથ શિંદેની સરકારે મહત્વના જાહેરાત કરી હતી આ નિર્ણય અનુસાર  પશ્ચિમ મુંબઈમાં બાંધવામાં આવનાર બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ બદલવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ત્યારે હવે આજરોજ 29 જૂનના દિવસે છેવટે મહારાષ્ટ્રમાં વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે આ સી લિંક વીર સાવરકર સેતુ તરીકે ઓળખાશે. આ ઉપરાંત મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું નામ પણ બદલીને અટલ બિહારી વાજપેયી સ્મૃતિ ન્હાવા શેવા અટલ સેતુ કરવામાં આવ્યું છે. ગયા મહિને વીર સાવરકર જયંતિના દિવસે મહારાષ્ટ્ર સરકારે આ અંગે નિર્ણય લીધો હતો.

આ સહીત હિન્દુત્વને ધ્યાનમાં રાખીને વીડી સાવરકરના નામ પર હવે સી લીંકને ઓળખવામાં આવશે. આ સી લિન્ક હવે વીર સાવરકર સેતુ તરીકે ઓળખાશે. ગ 28 મેના રોજ વીર સાવરકરની જન્મજયંતિ હતી તે દિવસે મહારાષ્ટ્રની સરકારે આ નિર્ણય લીધો હતો.મહારાષ્ટ્રની રાજનીતિમાં વીર સાવરકરનું ઘણું મહત્વ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન સાવરકર વિશે નિવેદન આપ્યું ત્યારે તેના પર ભારે હોબાળો થયો હતો.

જાણકારી પ્રમાણે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટર પર આ સમાચાર શેર કર્યા છે. ઔરંગાબાદનું નામ મુઘલ શાસક ઔરંગઝેબના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જ્યારે ઉસ્માનાબાદનું નામ 20મી સદીના હૈદરાબાદ રજવાડાના શાસકના નામ પરથી રાખવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે  હિન્દુ દક્ષિણપંથી સંગઠનો લાંબા સમયથી આ બંને શહેરોના નામ બદલવાની માંગ કરી રહ્યા છે.