Site icon Revoi.in

ટાઈમલાઈન અયોધ્યા – ૧ (સોળમી સદીથી ઓગણીસમી સદી)

Social Share
હેમંત.શર્મા ( સ્ત્રોત: “યુદ્વમે અયોધ્યા” પુસ્તકમાંથી )

અંતે સદીઓની પ્રતિક્ષા, આંદોલન, વિવાદ અને ધૈર્ય પછી ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામમંદિરના નિર્માણની શુભ ઘડી આવી ચૂકી છે. આગામી 5 ઑગસ્ટના રોજ દેશના પીએમ નરેન્દ્ર મોદી વૈદિક મંત્રોચ્ચારની સાથે મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન અને શિલાન્યાસના અનુષ્ઠાન કરશે.

જો કે, આ શુભ ઘડી આવતા પહેલા મંદિર નિર્માણને આડે અનેક વિધ્નો આવ્યા છે. અયોધ્યાનો પોતાનો એક અલગ જ ઇતિહાસ રહ્યો છે. અયોધ્યાના ઇતિહાસમાં એવી અનેક ઘટનાઓ બની છે જેના પર વરિષ્ઠ પત્રકાર હેમંત શર્માએ પોતાના જ પ્રત્યક્ષ અનુભવ અને નીરિક્ષણના આધારે પ્રકાશ પાડ્યો છે. આ પુસ્તક મારફતે પત્રકાર હેમંત શર્માએ વાચકોને અયોધ્યા વિવાદની બારીકાઇથી રૂબરુ કરાવવાનો પ્રયાસ કર્યો છે. તથ્યો અને પ્રમાણો પર આધારિત આ પુસ્તક અયોધ્યાના આંદોલનથી લઇને સંપૂર્ણ ઘટનાક્રમની વાસ્તવિકતાથી વાચકોને પરીચિત કરાવે છે.

અમે આજથી અમારા વાચકો માટે હેમંત શર્માના આ પુસ્તક “યુદ્વમે અયોધ્યા”માં ઉલ્લેખ કરાયેલા અયોધ્યાના સંપૂર્ણ ઘટનાક્રમની ટાઇમલાઇનને ગુજરાતીમાં અનુવાદ સાથે રજૂ કરવા જઇ રહ્યા છીએ. આજથી અમે આપને ટાઈમલાઈન અયોધ્યા” શ્રેણી સાથે અયોધ્યાના સંપૂર્ણ ઘટનાક્રમથી અવગત કરવાનો પ્રયાસ કરીશું.

તો ચાલો શરૂ કરીએ…

અયોધ્યાનો અર્થ છે જેને શત્રુ જીતી ના શકે. યુદ્ધનો અર્થ તો આપણે સહુ જાણીએ છીએ. યોધ્યનો અર્થ કે જેની સાથે યુધ્ધ થઈ શકે. માનવી એની સાથે જ યુદ્ધ કરે છે જેની સામે જીતવાની સંભાવના રહેતી હોય.એટલે કે અયોધ્યાનો અર્થ છે જેને જીતી ના શકાય….આઝાદ ભારતમાં અયોધ્યાને લઈને ખૂબ ચર્ચાઓ થઈ, વર્ષો વર્ષ નેરેટીવ ચાલ્યો. પણ કોઈએ તેને સમજવાની કોશિશ ન કરી.

ઉપરોક્ત શબ્દોથી અયોધ્યામાં પાચ સદીઓ પહેલા બનેલી ઘટનાઓથી ટાઈમલાઈન અયોધ્યા”ની શરૂઆત કરીએ અને ક્રમશઃ સમગ્ર ઘટનાક્રમને સમજવાનો પ્રયત્ન કરીએ.

અનુવાદક: પ્રોફેસર ડૉ. શિરીષ કાશીકર