Site icon Revoi.in

કેબિનેટ વિસ્તરણ બાદ હવે પોર્ટફોલિયોની જાહેરાત, જાણો ક્યાં મંત્રીને ક્યાં ખાતાની ફાળવણી કરાઇ

Social Share

નવી દિલ્હી: મોદી કેબિનેટનું વિસ્તરણ થઇ ચૂક્યું છે અને કુલ 43 નેતાઓએ શપથ ગ્રહણ કર્યા છે. નવા અને જૂના ચહેરાના સમાવેશ બાદ મોડી રાત્રે પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતમાંથી મોદી સરકારના જૂના ચહેરા એવા મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલને રાજ્યકક્ષાના પ્રધાનમાંથી કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવાયા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર મનસુખ માંડવિયાને આરોગ્ય ખાતુ અને પુરુષોત્તમ રૂપાલાને પશુપાલન ખાતું ફાળવવામાં આવ્યું છે. જ્યારે અન્ય ચહેરામાંથી ગુજરાતમાંથી સમાવિષ્ટ કરાયેલા સુરતના દર્શના જરદોષને રાજ્યકક્ષાના રેલવે મંત્રાલય તેમજ કાપડ મંત્રાલય, ખેડાના દેવુસિંહ ચૌહાણને રાજ્ય કક્ષાના સંચાર મંત્રી બનાવાયા તેમજ સુરેન્દ્રનગરના મહેન્દ્રભાઇ મુંજપરાને રાજ્ય કક્ષાના મહિલા અને બાળ વિકાસ મંત્રીનો પોર્ટફોલિયો ફાળવવામાં આવ્યો છે.

જાણો ક્યાં મંત્રીને ક્યું ખાતું અપાયું

રાજ્ય કક્ષાના સંચાર મંત્રી બનાવાયા અને સુરેન્દ્રનગરના મહેન્દૃ મુંજપરાને રાજ્ય કક્ષાના મહિલા અને બાળવિકાસ મંત્રી બનાવાયા છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા, પશુપતિ કુમાર પારસ, ભૂપેન્દ્ર યાદવ, અનુપ્રિયા પટેલ, મીનાક્ષી લેખી, અનુરાગ ઠાકુરે પણ મંત્રી પદના શપથ લીધા. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પ્રથમ વિસ્તરણ છે.