Site icon Revoi.in

કોરોનાથી મૃત્યુ પામનાર પરિવારને 50 હજારની આર્થિક સહાય ઉપરાંત CM કેજરીવાલે જાહેર કરી 4 યોજના

Social Share

નવી દિલ્હી: કોરોનાના આ સંકટકાળમાં દિલ્હી સરકાર હવે ગરીબોને વ્હારે આવી છે. દિલ્હી સરકારે ગરીબો માટે સૌથી મોટી 4 યોજનાની જાહેરાત કરી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ચાર મોટી જાહેરાત કરી છે.

જાણો કઇ ચાર મુખ્ય જાહેરાતો કરવામાં આવી.

કેજરીવાલે કોરોનાના નવા સ્ટ્રેન અંગે ચેતવણી આપી હતી કે સિંગાપુરમાં કોરોનાનો નવો સ્ટ્રેન બાળકોને શિકાર બનાવી રહ્યો છે તેથી સિંગાપુરથી આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવાની આવશ્યકતા છે અન્થા સિંગાપુરનો નવો સ્ટ્રેન ભારતમા આવીને બાળકોને શિકાર બનાવશે.

કેજરીવાલે સરકારને અપીલ કરી છે કે સિંગાપુરની તમામ ફ્લાઇટ તત્કાળ અસરથી બંધ કરવામાં આવે તેમજ બાળકોના વેક્સિનેશનના કામને પ્રાથમિક્તાથી હાથ પર લેવામાં આવે.

કોરોનાનો આ નવો સ્ટ્રેન સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યો હતો અને તે હવે બાળકોને પણ વધારે પ્રમાણમાં ઝપેટમાં લઈ રહ્યો છે. 38 બાળકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયા છે.