Site icon Revoi.in

બાબા રામદેવની મુશ્કેલી વધી, તેમની વિરુદ્વ વધુ એક કેસ નોંધાયો

Social Share

નવી દિલ્હી: એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવની મુશ્કેલીઓ પૂરુ થવાનું નામ જ નથી લઇ રહી. છત્તીસગઢના રાયપુરમાં યોગ ગુરુ બાબા રામદેવ વિરુદ્વ FIR દાખલ કરવામાં આવી છે. કોરોનાની સારવાર માટે વપરાતી દવાઓને લઇને ખોટી જાણકારી ફેલાવવાના આરોપમાં આ FIR દાખલ કરાઇ છે.

રાયપુરના એસએસપી અજય યાદવ અનુસાર, રામદેવ વિરુદ્વ કલમ 188, 268 અને 504 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહામારીને લઇને બેદરકારી દાખવવા, અશાંતિ ફેલાવવાના ઇરાદાથી અપમાન કરવા જેવા આરોપો હેઠળ તેમના વિરુદ્વ FIR દાખલ કરાઇ છે.

બાબા રામદેવે થોડા દિવસ પહેલા વેક્સિન લેવાની વાત કરી હતી તેમજ ડોક્ટરોને ધરતી પર દેવતા સમાન ગણાવ્યા હતા. તેનાથી બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વચ્ચે વિવાદ સમાપ્ત થવાની આશા કરવામાં આવી હતી પરંતુ હવે FIRને કારણે ફરી એકવાર શાબ્દિક યુદ્વ શરૂ થઇ શકે છે.

આ સિવાય મેડિકલ જગત તરફથી ઉપયોગ કરવામાં આવી રહેલી દવાઓને લઈને ડરાવવાની વાત કહી છે. આ દવાઓને ઉપયોગ માટે ભારત સરકાર અને આઈસીએમઆર તરફથી મંજૂરી મળી છે. તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં સોશિયલ મીડિયા પર તેમના વીડિયોનો હવાલો આપવામાં આવ્યો છે.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર તેના એવા ઘણા વીડિયો છે, જેમાં તેઓ ભ્રામક નિવેદન આપતા જોવા મળી રહ્યું છે.