દિલ્હીઃ- નેપાળે આગામી સિઝનમાં અનેક પ્રકારની ખાદ્ય સામગ્રી પોતાના દેશની જનતાને સરળતાથી મળી રહે અને તેની અછત ન વર્તાઈ તે માટે ભારતની મદદ માંમગી છે જેમાં ખઆસ કરીને ચોખા અને ખાંડની ભારત પાસે માંગણી કરી છે
પ્રાપ્ત વિગત પ્રમાણે કોઈપણ સંભવિત અછતને પહોંચી વળવા સાવચેતીના પગલા તરીકે ડાંગર, ચોખા અને ખાંડના પુરવઠાની સુવિધા આપવા ભારતને વિનંતી કરી છે. વાણિજ્ય અને પુરવઠા મંત્રાલયના સંયુક્ત સચિવ રામ ચંદ્ર તિવારીએ આ બબાતને લઈને માહિતી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે વિતેલા સપ્તાહમાં વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય અધિકારીઓને વિનંતી કરવામાં આવી હતી. તેમણે કહ્યું, “નેપાળે ભારતને 10 લાખ ટન ડાંગર, એક લાખ ટન ચોખા અને 50,000 ટન ખાંડ આપવા વિનંતી કરી છે.”
જો કે નેપાળ દ્રારા કહેવામાં આવ્યું છે કે હાલ તો માર્કેટમાં ખાંડ કે ચોખાની કોઈ પણ પ્રકારની અછત વર્તાઈ રહી નથી, પરંતુ આગામી સિઝન તહેવારોની છે તો તેની શક્યતાઓ નકારી શકાતી નથી આંતરરાષ્ટ્રીય બજારમાં બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણયને પગલે સંભવિત અછત વિશે અફવાઓ છે.આથી સાવચેતીના ભાગરૂપે નેપાળ સરકારે ભારતને આ ખાદ્ય ચીજોની સપ્લાય કરવા માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે આગામી તહેવારોની મોસમ દરમિયાન સ્થાનિક પુરવઠો વધારવા અને છૂટક કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે 20 જુલાઈએ બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે. ત્યારે નેપાળે ભારત પાસે મદદ માંગી છે.
આ સાથે જ નેપાળ ઘણી ખાદ્ય સામગ્રી માટે આયત પર નિર્ભર કરે છે. એક રિપોર્ચ પ્રમાણેએપ્રિલ 2021 થી 22 માર્ચ સુધી, નેપાળે 1.4 મિલિયન ટન ચોખાની આયાત કરી – 1.38 મિલિયન ટન નોન-બાસમતી ચોખા અને 19,000 ટન બાસમતી ચોખા ભારતમાંથી આયાત કરવામાં આવ્યા, જે અત્યાર સુધીનો સૌથી વઘુ પુરવઠો કહી શકાય છે.
આ સાથે જ નેપાળ બજારના વિશ્લેષકો માને છે કે એવી પણ આશંકા છે કે વેપારીઓ આ માલનો સંગ્રહ કરી શકે છે, જેના કારણે તહેવારોની સીઝન નજીક આવતા ભાવ વધી શકે છે. તેઓ કહે છે કે જો સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવાના પગલાં અસરકારક રીતે અમલમાં ન આવે તો ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે નેપાળની તહેવારોની મોસમમાં ચોખા અને ખાંડના ભાવમાં વધારો થવાનો ભય છે.જો ભારત નેપાળની મદદ કરે છે તો તેમની આ સમસ્યા મટી શકે છે.