Site icon Revoi.in

NGT એ કચરાના નિકાલ ન કરવાના મામલે દિલ્હી સરકાર પર 900 કરોડોનો દંડ ફટકાર્યો

Social Share

દિલ્હીઃ-  દિલ્હી પ્રદુષણના મામલે હંમેશા મોખરે રહ્યું છે હવાની ગુણવત્તા અહી અવાર નવાર ખરાબ થતી હોય છે ત્યારે કચરાના નિકાલને લઈને પણ રાજધાની ઘણી વખત ચર્ચાનો વિષય બની છે ત્યારે હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ દિલ્હીની ત્રણ લેન્ડફિલ સાઇટ્સમાંથી કચરો ન ઉપાડવા બદલ દિલ્હી સરકાર પર 900 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે

વિતેલા દિવસને  બુધવારના રોજ જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે અવલોકન કર્યું હતું કે ગાઝીપુર, ભાલવા અને ઓખલાની ત્રણ ડમ્પ સાઇટ્સ પર લગભગ 80 ટકા કચરાનો નિકાલ થતો નથી.આ મામ લે દિલ્હી પર સખ્ત કાર્યવાહી રુપે કરોડોનો દંડ વસુલવાનો નિર્ણય લેવાયો છે.

પીઠે વધુમાં એમ પણ કહ્યું કે  પ્રશાસનના અભાવે નાગરિકોને કટોકટીનો સામનો કરવાની ફરજ પાડી શકાતી નથી. મિથેન અને અન્ય હાનિકારક વાયુઓ સતત ઉત્સર્જિત થઈ રહ્યા છે અને ભૂગર્ભ જળ પણ પ્રદુષિત બની રહ્યું છે અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે .

બેન્ચે જણાવ્યું હતું કે, “અમે દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશને ત્રણ લેન્ડફિલ સાઇટ્સ પર 30 મિલિયન મેટ્રિક ટનના નિકાલ ન થયેલા કચરાના જથ્થાના સંદર્ભમાં રૂ. 900 કરોડનું પર્યાવરણીય વળતર ચૂકવવા માટે જવાબદાર ગણીએ છીએ.” આ રકમ અલગ ખાતામાં જમા કરાવી શકાય છે. મુખ્ય સચિવ, દિલ્હીના નિર્દેશો હેઠળ ચલાવવામાં આવશે.

લેફ્ટનન્ટ ગવર્નરના નિર્ણયોને કારણે દિલ્હીમાં ત્રણ લેન્ડફિલ સાઈટ પર પહાડની ઊંચાઈ ધીરે ધીરે ઓછી થવા લાગી છે. ત્રણ વર્ષ અગાઉની સરખામણીએ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે કચરાના નિકાલમાં 462 ટકાનો વધારો થયો છે. જૂન-સપ્ટેમ્બર દરમિયાન લગભગ 26.1 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.