Site icon Revoi.in

ઉત્તરભારત કાતિલ ઠંડીમાં ઠુંઠવાયુ, દિલ્હીમાં યલો એલર્ટ

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારત હાલ તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યું છે. ધુમ્મસની સાથે કાતિલ ઠંડીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ઓછી વિઝિબિલિટીના કારણે ટ્રેન અને ફ્લાઈટને પણ અસર થઈ રહી છે. હજુ આગામી 2-3 દિવસ સુધી લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. પહાડોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. ત્યાંથી આવતા ઠંડા પવનો પણ દિવસના તાપમાનમાં ઘટાડો કરી રહ્યું છે. ઉત્તરભારતમાં કાતિલ ઠંડીને પગલે જીનજીવન ખોરવાયું છે. ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની સ્થિતિ સહિત વિવિધ કારણોસર દેશના વિવિધ ભાગોમાંથી દિલ્હી આવતી 26 જેટલી ટ્રેનો મોડી ચાલી રહી છે.

પ્રાદેશિક હવામાન વિભાગ દ્વારા દિલ્હીમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પહાડો પર હિમવર્ષાથી રાજધાનીમાં ઠંડી વધી રહી છે. તાપમાનનો પારો નીચે ઉતરશે, જે દરમિયાન લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી અને મહત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાની શક્યતા છે. IMD અનુસાર, ઉત્તર પ્રદેશ, ચંદીગઢ, રાજસ્થાન, બિહારમાં ખૂબ ગાઢ ધુમ્મસ, મધ્ય પ્રદેશ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ અને જમ્મુ વિભાગમાં મધ્યમ ધુમ્મસ હતું. બીજી તરફ, સવારે 5.30 વાગ્યે, બરેલીમાં 25 મીટર, લખનૌમાં 25 મીટર, બહરાઈચમાં 25 મીટર, પ્રયાગરાજમાં 50 મીટર, વારાણસીમાં 50 મીટર, ગોરખપુરમાં 200 મીટર, સુલતારપુર પ્રદેશમાં 200 મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી. ચંડીગઢમાં 25 મીટર, સફદરજંગમાં 500 મીટર, પાલમમાં 700 મીટર, રાજસ્થાનના બિકાનેરમાં 25 મીટર, જેસલમેરમાં 50 મીટર, કોટામાં 50 મીટર, જયપુરમાં 50 મીટર, જયપુરમાં 200 મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી. આ સિવાય બિહારના ગયામાં 25 મીટર, પૂર્ણિયામાં 25 મીટર અને પટનામાં 200 મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી. સાગરમાં 50 મીટર, ભોપાલમાં 200 મીટર, સતનામાં 200 મીટર, અગરતલામાં 50 મીટર અને મધ્ય પ્રદેશમાં જમ્મુમાં 200 મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી.

જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના શિખરો પર ભારે હિમવર્ષા અને ત્યાંથી ફુંકાતા ઠંડા પવનોને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ બે-ત્રણ દિવસ સુધી આ જ સ્થિતિ રહેશે. બુધવાર સવારથી પ્રયાગરાજ અને વારાણસી સહિત પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને જો ઉત્તર-પશ્ચિમ ભારતને તેની અસર થશે તો ઠંડીમાં હજુ વધારો થવાની ખાતરી છે. ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન વ્યવહાર પણ ખરવાયો છે. ગાઢ ધુમ્મસને કારણે મોટાભાગની લાંબા અંતરની ટ્રેનો છથી આઠ કલાક મોડી ચાલી રહી છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે 75 થી વધુ ટ્રેનોની અવરજવર ધીમી રહી હતી.