Site icon Revoi.in

24 જાન્યુઆરી પર પીએમ મોદી રાષ્ટ્રીય બાલ પુરસ્કારના વિજેતા સાથે વાત કરશે

Social Share

દિલ્હી: વડાપ્રધાન રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP-2022) ભારતમાં રહેતા 5 વર્ષથી વધુ વયના અને 18 વર્ષ (સંબંધિત 31મી ઓગસ્ટના રોજ) વર્ષ)થી વધુ ન હોય તેવા શૈક્ષણિક સિદ્ધિઓ; રમતગમત; કલા અને સંસ્કૃતિ; સમાજ સેવા; અને બહાદુરી જેવા 6 ક્ષેત્રોમાં અસાધારણ ક્ષમતાઓ અને ઉત્કૃષ્ટ સિદ્ધિ ધરાવતા બાળકોને માન્યતા તરીકે એનાયત કરવામાં આવે છે. દરેક પુરસ્કાર મેળવનારને રૂ. 1,00,000/-  રોકડ પુરસ્કાર, મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.

આ પુરસ્કારો રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવે છે. વડાપ્રધાન દર વર્ષે આ પુરસ્કાર વિજેતાઓ સાથે પણ વાતચીત કરે છે. પીએમઆરબીપીના પુરસ્કાર વિજેતાઓ દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ ભાગ લે છે.

દેશમાં કોવિડ 19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આ વર્ષે નવી દિલ્હી ખાતે એવોર્ડ સમારોહનું આયોજન કરવું શક્ય બન્યું નથી. એ કારણસર 24મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે અને આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી PMRBP-2022ના વિજેતાઓ સાથે વર્ચ્યુઅલ રીતે વાર્તાલાપ કરશે. બાળકો તેમના માતાપિતા અને સંબંધિત જિલ્લાના સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે આ કાર્યક્રમમાં જોડાશે.

આ ફંકશન દરમિયાન વડાપ્રધાન PMRBP-2022ના બ્લોક ચેઈન ટેકનોલોજીનો ઉપયોગ કરનારા વિજેતાઓને ડિજિટલ પ્રમાણપત્રો આપશે. PMRBP-2021ના એવા વિજેતાઓને પણ પ્રમાણપત્રો આપવામાં આવશે, જેઓ ગયા વર્ષે COVID પરિસ્થિતિને કારણે પ્રમાણપત્રો પ્રાપ્ત કરી શક્યા ન હતા. PMRBPના પુરસ્કારોને પ્રમાણપત્ર આપવા માટે પ્રથમ વખત બ્લોક ચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.