- ચિડાવા-સૂરજગઢ રોડ પર અકસ્માત સર્જાયો
- ટ્રકે શ્રદ્ધાળુઓ ભરેલી ટ્રોલીને હડફેટે લેતા અકસ્માત
- અકસ્માતમાં એકનું મોત,20 થી વધુ ઘાયલ
જયપુર:રાજસ્થાનના ચિડાવા-સૂરજગઢ રોડ પર ઝુંપા બસ સ્ટેન્ડ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.રોંગ સાઈડમાંથી આવી રહેલા ટ્રકે શ્રદ્ધાળુઓ ભરેલી ટ્રોલીને હડફેટે લેતા એક શ્રદ્ધાળુનું મોત થયું હતું.જયારે 20 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ચિરવા સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.જેમાંથી પાંચની હાલત ગંભીર હોવાને કારણે તબીબોએ તેમને ઝુંઝુનુની બીડીકે હોસ્પિટલમાં રીફર કર્યા છે.
બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે,ખાટુ શ્યામજીથી દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને આ અકસ્માત નડ્યો હતો