નવી દિલ્હી, 19 જૂન 2026: Sikh couple shot dead in Gurudwara પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના એક ગુરુદ્વારામાં ગયા બુધવારે એક શીખ કેરટેકર દંપતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પેશાવરથી આશરે 60 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં સ્થિત મર્દાનના બાબુ મોહલ્લા વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અજાણ્યા હુમલાખોરોએ ગુરુદ્વારાની અંદર ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે જગન્નાથ અને તેમની પત્ની અસ્મા વંતીનું મોત નીપજ્યું હતું.
આ હુમલો પાકિસ્તાનમાં ધાર્મિક ઉગ્રવાદની પ્રવૃત્તિની હદ દર્શાવે છે. ઉગ્રવાદીઓ વારંવાર હિન્દુઓ, શીખો અને ખ્રિસ્તીઓ પર હુમલો કરે છે અને બળજબરીથી ધર્માંતરણ કરાવે છે, જેના કારણે ધાર્મિક લઘુમતીઓ અસુરક્ષાની તીવ્ર ભાવનાનો સામનો કરી રહ્યા છે.
વધુ વાંચો: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજથી ત્રણ દિવસ લદ્દાખની મુલાકાતે

