Site icon Revoi.in

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાને ફરીથી હુમલો થવાની દહેશત વ્યક્ત કરી

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ઉપર તાજેતરમાં જ હુમલો થયો હતો. જેમાં તેમને ઈજા થઈ હતી. ઈમરાનખાનની રેલી દરમિયાન ગોળીબારની ઘટના બની હતી. દરમિયાન ઈમરાન ખાને ફરી એકવાર હુમલાની દહેશત વ્યક્ત કરી છે. આ ઉપરાંત પાકિસ્તાન સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

ઈમરાન ખાને સત્તા ગુમાવતા શહબાજ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યાં હતા. બીજી તરફ ઈમરાન ખાને મોંઘવારી સહિતના મુદ્દા ઉપર શરીફ સરકાર ઉપર પ્રહાર કર્યાં હતા. તેમજ વિશાળ માર્ચ યોજવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાઈ રહ્યાં છે. દરમિયાન ફરી એકવાર હુમલો થવાની ઈમરાન ખાને દહેશત વ્યક્ત કરી હતી.

(PHOTO-FILE)