Site icon Revoi.in

વડોદરામાં નવરાત્રિ મહોત્સવમાં અન્ય ધર્મના લોકોને નહીં અપાય પ્રવેશ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, રાજ્યમાં વિવિધ સ્થળો ઉપર ગરબાનું આયોજન કરવામાં આવી રહી છે, જેને લઈને આયોજકો દ્વારા અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ખાનગી ગરબા મહોત્સવને લઈને વિશેષ સુચનો કર્યાં છે. દરમિયાન વડોદરાના ડભોઈમાં આયોજીત ગરબા મહોત્સવમાં અન્ય ધર્મના લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે. તેમજ ખેલૈયાઓને કપાળ ઉપર તિલક કરીને આપવામાં આવશે, તેવો આયોજકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈમાં એક ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન બિન હિન્દુઓને ગરબા ગ્રાઉન્ડ ઉપર પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. ગરબાના આયોજકોએ જણાવ્યું હતું કે, ખેલૈયાઓને કપાળ ઉપર તિલક કરીને આવશે તો જ તેમને નિર્ણય લેવાયો છે. તિલક નહીં કરેલુ હોય તેમને પ્રવેશ નહીં આપવામાં આવે. નવરાત્રિ દરમિયાન હિન્દુ યુવતીની છેડતી અને લવ જેહાદને લઈને નિર્ણય લેવાયોમાં આવ્યો છે.

રાજ્યમાં નવરાત્રિને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યમાં વિવિધ સોસાયટીઓમાં શેરી ગરબા યોજાશે. જ્યારે વિવિધ પાર્ટી પ્લોટો ઉપર ખાનગી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા યુવતીઓની છેડતીને અડટાકવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત વિવિધ શહેરોમાં નવરાત્રિ મહોત્સવમાં મહિલા પોલીસ કર્મચારીઓ ટ્રેડિશનલ કપડામાં તૈનાત રહેશે. આ ઉપરાંત વિવિધ ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે.

(ફોટો- પ્રતિકાત્મક)