નવરાત્રિ મહોત્સવઃ રુપાલમાં પ્રાચીન પલ્લી નીકળી, લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
અમદાવાદઃ ગાંધીનગર નજીક સુપ્રસિદ્ધ રુપાલમાં નવમાં નોરતે રાતના પરંપરાગત રીતે વરદાયિની માતાજીની પલ્લી નીકળી હતી. પલ્લીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, અને માતાજીના પલ્લીના દર્શન કર્યાં હતા. દરમિયાન શ્રદ્ધાળુઓએ માતાજીની પલ્લીને ઘી ચડાવ્યું હતું. બીજી તરફ સુરક્ષાને કારણોસર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.અંદાજે પાંચ લાખ શ્રદ્ધાળુઓએ વરદાયિની માતાજીની […]