Site icon Revoi.in

પેપરફ્રાઈના સીઈઓ અંબરીશ મૂર્તિનું લેહમાં હાર્ટ એટેકથી અવસાન

Social Share

દિલ્હી:પેપરફ્રાઈના સહ-સ્થાપક અને સીઈઓ અંબરીશ મૂર્તિનું સોમવારે રાત્રે લેહમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તેઓ 51 વર્ષના હતા. આ સમાચારની પુષ્ટિ તેમના સહ-સ્થાપક આશિષ શાહે X,જેને અગાઉ ટ્વિટરના નામથી ઓળખાવામાં આવતા હતા,પરંતુ શાહે તેમની પોસ્ટમાં દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૂર્તિને મિત્ર, માર્ગદર્શક, ભાઈ અને આત્મિકના સાથી ગણાવ્યા હતા.

તેણે પોસ્ટમાં લખ્યું છે કે એ જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે મારા મિત્ર,ગુરુ,ભાઈ, આત્મીય @AmbereshMurty હવે નથી રહ્યા. હાર્ટ એટેકને કારણે ગઈકાલે રાત્રે લેહમાં તેમને ગુમાવ્યા. શાહે લખ્યું, કૃપા કરીને તેમના માટે પ્રાર્થના કરો અને તેમના પરિવાર અને નજીકના લોકોને શક્તિ આપો.

પેપરફ્રાયની સ્થાપના 2012માં અંબરીશ મૂર્તિએ આશિષ શાહ સાથે મળીને કરી હતી. આ સાહસ પહેલા મૂર્તિએ ઈબે ઈન્ડિયા, ફિલિપાઈન્સ અને મલેશિયામાં કન્ટ્રી મેનેજર સહિત મુખ્ય હોદ્દા સંભાળ્યા હતા.ઈબે ખાતે તેમની વ્યૂહાત્મક કુશળતા કંપનીના વિકાસને આકાર આપવામાં અને ગ્રાહક અનુભવને વધારવામાં મહત્વની હતી. તેમણે ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ઉપપ્રમુખ તરીકે પણ યોગદાન આપ્યું હતું.

મૂર્તિની વ્યાવસાયિક સફરમાં લેવી સ્ટ્રોસ અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સમાં નેતૃત્વની ભૂમિકાઓ પણ સામેલ છે. કેડબરી સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરીને, તેમણે પાછળથી પ્રુડેન્શિયલ ICICI AMCમાં હોદ્દા સંભાળી. તેણે દિલ્હી કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી BE તેમજ IIM કલકત્તામાંથી MBA કર્યું છે.