Site icon Revoi.in

‘’પઠાણ’ ફિલ્મના વિવાદ પર પીએમ મોદીએ પાર્ટીના નેતાઓને બિનજરૂરી ટિપ્પણી ન કરવાની આપી સલાહ

Social Share

દિલ્હીઃ- અભિનેતા શાહરુખખાનની ફિલ્મ પઠાણને  લીને ઘણો વિવાદ ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં હવે પીએમ મોદીએ ફિલ્મને લઈને કારણવગરની બયાનબાજી ન કરવાની પાર્ટીના નેતાઓને સલાહ આપી હોવાની વાચ સામે  આવી છએ.

પ્રાપ્ત વિગત પ્રામણે ‘પઠાણ’નું સોંગ  ‘બેશરમ રંગ’ રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ઘેરાયેલું છે. દી ફિલ્મ અલગ-અલગ કારણોસર વિવાદોમાં રહી હતી. ભાજપના નેતાઓ સહિત ઘણા મોટા નેતાઓએ ફિલ્મ પર ટિપ્પણી કરી હતી. હવે નવી દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન પીએમ મોદીએ ભાજપના નેતાઓને ફિલ્મો અને સેલિબ્રિટીઓ વિરુદ્ધ બિનજરૂરી ટિપ્પણી કરવાનું ટાળવા વિનંતી કરી છે.