Site icon Revoi.in

યુએનજીએ સમિટમાં ત્રણ વખત પીએમ મોદીની સામે હશે ઈમરાન ખાન

Social Share

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન ઓછામાં ઓછા ત્રણ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વઝીરે આઝમ ઈમરાનખાનનો આમનો-સામનો થશે.

આજે ત્રણ પ્રસંગે વડાપ્રધાન મોદી અને ઈમરાનખાન એક જ રૂમમાં હાજર રહેશે.

પહેલીવાર યુએનજીએની ઓપનિંગ સેરેમની દરમિયાન, બીજી વખત લંચ દરમિયાન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રિસેપ્શનમાં પણ બંને નેતાઓ એકબીજાની સામે હશે.

જો કે મોદી અને ઈમરાન વચ્ચે આ દરમિયાન વાતચીત થશે નહીં.