Site icon Revoi.in

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે ઈદ-ઉલ-અદાની શુભેચ્છાઓ પાઠવી

Social Share

દિલ્હીઃ- આજે મુસ્લિમ બિરાદરોનો મહિનો જીલહજનો 10મો ચાંદ છે,આજના દિવસને હજના 10 દિવસ પુરા થાય છે અને સમગ્ર વિશઅવમાં આ 10માં ચાંદે બકરી ઈદ એટલે કે ઈદ ઉલ અદાનો તહેવાર મનાવમાં આવે છે, આજે દેશભરમાં નુસ્લિમ બિરાદરો આ તહેવાર ઉત્સાહભેર ઉજવી રહ્યા છે.

પીએમ મોદીએ દેશવાસીઓને બકરી ઈદની શુભેચ્છાો પાઠવી

આજના આ ખાસ દિવસે દેશના પ્રધાનમંત્રી વનરેન્દ્ર મોદીએ  દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે આ તહેવાર આપણને માનવતાની સુધારણા માટે પ્રેરણા આપે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું, “ઈદ મુબારક! ઈદ-ઉલ-અઝહાની શુભકામનાઓ. આ ઉત્સવ આપણને માનવજાતના ભલા માટે સામૂહિક સુખાકારી અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારવા માટે કામ કરવાની પ્રેરણા આપે.”.”

આ સાથએ જ   રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને બકરીદની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, આ તહેવાર બલિદાન અને માનવ સેવાનું પ્રતિક છે. ચાલો આપણે આ અવસરને માનવજાતની સેવામાં સમર્પિત કરીએ અને દેશની સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે કામ કરીએ.