Site icon Revoi.in

પીએમ મોદીએ આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળવા બદલ અભિનંદન પાઠવ્યા

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ફિલ્મ અભિનેત્રી આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું, “આશા પારેખ ફિલ્મ ઉદ્યોગની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે.પારેખે તેમની લાંબી કારકિર્દીમાં બહુમુખી પ્રતિભા શું છે તે બતાવ્યું.દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એનાયત થવા બદલ હું તેમને અભિનંદન આપું છું.

તેમણે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત અન્ય ઘણા કલાકારોને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે,આ સન્માન તેમની સર્જનાત્મકતા અને મનોરંજન, કલા અને સંસ્કૃતિની દુનિયામાં તેમના યોગદાનની સાચી ઓળખ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ​​અહીં વિજ્ઞાન ભવનમાં આયોજિત 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિતરણ સમારોહમાં આશા પારેખને તેમની જીવનકાળની સિદ્ધિની માન્યતામાં ભારતીય સિનેમાની દુનિયાના સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કર્યા.

 

Exit mobile version