Site icon Revoi.in

 રાજુ શ્રીવાસ્તવના નિધન પર પીએમ મોદી થયા ભાવૂક ,જાણો ટ્વિટ કરીને તેમણે શુ કહ્યું

Social Share

દિલ્હીઃ- જાણીતા મશહૂર કોમેડિ કલાકાર રાજૂ શ્રાવાસ્તવનું લાંબી બીમારી બાદ આજરોજ અવસાન થયું છે,દેશભરના લોકો તેમને યાદ કરી રહ્યા છે, અનેક લોકોની આંખો નમ થી છે, ત્યારે હવે તેમના અવસાનને લઈને પીએમ મોદીએ પણ દુખ વ્યક્ત  કર્યુ છે .

પીએમ મોદીએ રાજૂ શ્રીવાસ્તવના અવસાન પર ટ્વિટ કરીને લખ્યું છે કે, “રાજુ શ્રીવાસ્તવે હસી, મજાકત અને સકારાત્મકતાથી આપણું જીવન ઉજ્જવળ કર્યું. તેઓ આપણાને ખૂબ  જલ્દી  છોડીને ચાલ્યા ગયા પરંતુ તે અસંખ્ય લોકોના હૃદયમાં જીવંત રહેશે,તેનો શ્રેય વર્ષોથી તેના સમૃદ્ધ કાર્યને જાય છે,તેમનું નિધન દુખદ છે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.

ઉલ્લેખનીય છે કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવે એક મહિના કરતાં વધુ સમય સુધી દિલ્માંહીની એઈમ્સમાં દાખલ રહ્યા બાદ 21 સપ્ટેમ્બર આજરોજ અંતિમ શ્વાસ લીધા. રાજુના અંતિમ સંસ્કાર 22 સપ્ટેમ્બરે કરવામાં આવશે.