Site icon Revoi.in

સમાજ સુધારક સાવિત્રી બાઈ ફુલે અને રાણી વેલુ નાચિયારને તેમની જયંતી નિમિત્તે PM મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સમાજ સુધારક સાવિત્રીબાઈ ફુલે અને ભારતમાં બ્રિટિશ સંસ્થાનવાદી સત્તા સામે લડનાર પ્રથમ રાણી, રાણી વેલુ નાચિયારને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બંને વિભૂતિઓએ તેમની કરુણા અને હિંમતથી સમાજને પ્રેરણા આપી અને રાષ્ટ્ર પ્રત્યે તેમનું યોગદાન અમૂલ્ય છે.

પ્રધાનમંત્રીએ ગયા મહિને મન કી બાત કાર્યક્રમના આ અંગેની વિગતો પણ સમાવિષ્ટ કરી હતી. જ્યાં તેમણે સાવિત્રી બાઈ ફૂલે અને રાણી વેલુ નાચિયારને શ્રદ્ધાંજલિ આપી હતી.