Site icon Revoi.in

પીએમ મોદીએ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન સાથે ટેલિફોનિક વાતચીત કરી,યુક્રેન સંકટ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા  

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન વચ્ચે ફોન પર વાતચીત થઇ હતી.બંને નેતાઓએ યુક્રેન સંકટ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી.આ અંગેની જાણકારી વડાપ્રધાન કાર્યાલયે આપી હતી.

વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે,પીએમ મોદીએ દુશ્મનાવટનો અંત લાવવા અને વાતચીત અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાની ભારતની સતત અપીલનો પુનરોચ્ચાર કર્યો હતો.તેમણે સમકાલીન વિશ્વ વ્યવસ્થાના આધાર તરીકે આંતરરાષ્ટ્રીય કાયદા અને તમામ દેશોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વમાં ભારતની માન્યતા પર ભાર મૂક્યો હતો.

PMO અનુસાર, બંને નેતાઓએ દ્વિપક્ષીય હિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી અને વેપાર, ટેક્નોલોજી, રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા અને લોકો વચ્ચેના સંબંધો સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની સંભાવના પર સંમત થયા હતા. તદનુસાર, મોદીએ દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર પર ચાલી રહેલી વાટાઘાટોમાં સકારાત્મક વેગ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

તેમણે ગયા વર્ષે બંને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલ સમિટ દરમિયાન અપનાવવામાં આવેલા ‘ભારત-યુકે રોડમેપ 2030’ના અમલીકરણમાં થયેલી પ્રગતિની પણ પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રીએ પરસ્પર અનુકૂળતા મુજબ પીએમ જોનસનનું ભારતમાં વહેલામાં વહેલી તકે સ્વાગત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

 

 

Exit mobile version