Site icon Revoi.in

પીએમ મોદી મહારાષ્ટ્રની મુલાકાતે – પૂણેના દેહૂમાં સંત તુકારામ શિલા મંદિરનું કર્યું લોકાર્પણ

Social Share

મુંબઈ  – દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરમાં દેહુ પહોંચ્યા છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, જેમણે અગાઉ પીએમના કાર્યક્રમોમાં હાજરી આપવાનું ટાળ્યું હતું, તેઓ તેમની સાથે મંચ શેર કરતા જોવા મળ્યા છે

આ સાથે જ  પ્રોટોકોલ મુજબ, રાજ્યના મુખ્યમંત્રી જ્યારે પણ રાજ્યની મુલાકાતે હોય ત્યારે પીએમને આવકારે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂણેના દેહુમાં સંત તુકારામ મહારાજ મંદિર અને મુંબઈમાં રાજભવન ખાતે જલ ભૂષણ બિલ્ડિંગ અને ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું

હવે સાંજે લગભગ 6 વાગ્યે, વડા પ્રધાન મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લેશે, એએનઆઈએ અહેવાલ આપ્યો છે.

સંત તુકારામ શિલા મંદિરનું ઉદ્ઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુણે પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે સંત તુકારામ મંદિરમાં સંત તુકારામ મહારાજના દર્શન કર્યા હતા. આ સાથે સંત તુકારામ શિલા મંદિરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના સ્વાગતમાં બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.

 

Exit mobile version