Site icon Revoi.in

PM મોદી આજે 10ઃ30 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા  સેન્ટર સ્ટેટ ટેક્નોલોજીનું કરશે ઉદ્ઘાટન – સભાને પણ સંબોધિત કરશે

Social Share

દિલ્હીઃ-    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘કેન્દ્ર-રાજ્ય વિજ્ઞાન પરિષદ’નું ઉદ્ઘાટન કરશે. આ ખાસ પ્રસંગે  સહકારી સંમેલનમાં દેશભરમાંથી વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ અને સચિવો ભાગ લેશે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે પીએમ મોદી સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેઓ સભાને પણ સંબોધિત કરશે.આ બે દિવસીય કોન્ફરન્સ 10-11 સપ્ટેમ્બર, 2022 દરમિયાન સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં  ગુજરાતના મુખ્યમંત્રી, કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ઉદ્યમીઓ, એનજીઓ, યુવા વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. 

દેશમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને સરળ બનાવવા માટે વડાપ્રધાનના અથાગ પ્રયાસોને અનુરૂપ આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારની આ પ્રથમ કોન્ફરન્સ છે.આ પરિષદનો ઉદ્દેશ સહકારી સંઘવાદની ભાવના સાથે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન અને સહકારની પદ્ધતિને મજબૂત કરવાનો અને સમગ્ર દેશમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાની મજબૂત ઇકો-સિસ્ટમનું નિર્માણ કરવાનો છે.

આ પ્રયાસમાં એસટીઆઈ વિઝન 2047, રાજ્યોમાં એસટીઆઈ માટે ભાવિ વૃદ્ધિના માર્ગો અને વિઝન, બધા માટે ડિજિટલ આરોગ્ય સંભાળ, 2030 સુધીમાં આરએન્ડડીમાં ખાનગી ક્ષેત્રના રોકાણને બમણું કરવું, ખેડૂતોની આવક સુધારવા માટે તકનીકી હસ્તક્ષેપ, પીવાલાયક પીવાના પાણીના ઉત્પાદન માટે નવીનતાઓ, હાઇડ્રોજન મિશન વગેરેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા તેમજ તમામ માટે સ્વચ્છ ઉર્જા જેવા વિષયો પણ કેચલાક સત્રો આયોજીત કરવામાં આવશે