Site icon Revoi.in

બ્રિટનમાં લોકડાઉનની શક્યતાઓ- ઠંડીના કારણે 85 હજાર લોકોના મોતનું અનુમાન

Social Share

સૈઝ સમિતિના વૈજ્ઞાનિકોએ વિતેલા દિવસે નંબર-10 નામથી એક આંકડો રજુ કર્યો હતો, જેના થકી જાણવા મળ્યું છે કે,કોરોનાની ગતિ સૌથી ખરાબ સ્થિતિની કેટગરીથી પણ વધુ આગળ વધી ચૂકી છે,તાજેતરમાં બ્રિટનમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો વધવામાં અભૂતપૂર્વ વૃદ્ધી જોવા મળી છે.

કેબિનેટ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આવનારા અઠવાડીયામાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી શકે છે, નવું લોકડાઉન કયા રુપમાં કારશે અથવા તેનો અમલ કેટલો સમય થશે તે હજી સ્પષ્ટ થયું નથી. જો કે, માહિતી એવી મળી રહી છે કે, આવશ્યક વસ્તુઓ વેચતી દુકાનો સિવાયની તમામ દુકાનો બંધ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત નર્સરીઓ, શાળાઓ અને યુનિવર્સિટીઓ પણ બંધ થઈ શકે છે.

આ સમગ્ર બાબતે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન સોમવારના રોજ એક પ્રેસકોન્ફોરન્સ યોજનાર છે, આ સાથે જ નવા પ્રતિબંધોને બુધવારના રોજ લાગુ કરવામાં યાવી શકે છે,સરકાર માટે આવનારો સમય ખુબ જ પડકાર રુપ સાબિત થઈ શકે છે, નવા લોકડાઉનને લાગુ કરતા પહેલા કઈ કઈ સેવાઓ પર પ્રતીબંધ મૂકવો તે વાત સરકારે નિશ્વિત કરવાની રહેશે

બ્રિટનમાં લોકડાઉન લાગુ થતા આર્થિક સ્થિતિ પર પડશે અસર

પ્રધાનમંત્રી જોનસન અને નાણામંત્રી ઋષિ સુનકને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે,  જો કોલડાઉન ફરીથી અમનલમાં મૂકવામાં આવશે તો દેશની આર્થિક પરિસ્થિતિ કથછળી શકે છે, ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને લઈને બ્રિટનની અર્થવ્યવસ્થા પર માઠી અસર પડેલી જોય શકાય છે,

ઠંડીની  ઋતુમાં 85 હજાર લોકોના મોતનું અનુમાન

આરોગ્ય સચિવ મેટ હેનકોક અને વરિષ્ટ મંત્રી માઇકલ ગોવે સમર્થિત વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ શિયાળામાં વાયરસથી 85,000 લોકોના મોત થઈ શકે છે, અને ત્યા  સુધી કથાકથિત ‘સર્કિટ બ્રેક’ માટે ખુબ મોડુ થઈ ચૂક્યું હશે,. તેમનું કહેવું છે કે લોકડાઉનનો અમલ થવો જોઈએ, કારણ કે આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા હોસ્પિટલોમાં પથારીની તંગીથી બચી શકાય છે.ઉલ્લેખનીય છે કે બ્રિટનમા કોરોનાના કેસો વધતાની સાથે સરકારની ચિંતા પણ વધી છે, જેથી લોકડાઉન કરવાની ફરજ પડી શક છે.

સાહીન-