Site icon Revoi.in

પ્રભાસની ફિલ્મ ‘રાધેશ્યામ’ ને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ,રિલીઝ ડેટ ટળી 

Social Share

મુંબઈ:કોરોનાની ત્રીજી લહેરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફરી મુશ્કેલીમાં મૂકી દીધી છે.દેશમાં વધી રહેલા કોરોના કેસને કારણે ફિલ્મોની રિલીઝ ડેટ સતત ટળી રહી છે. એક પછી એક ફિલ્મોને કોરોનાનું ગ્રહણ લાગી રહ્યું છે. ત્યાં હવે પ્રભાસની ‘રાધે શ્યામ’ ની પણ રિલીઝ ડેટ ટળી છે.

ફિલ્મ નિર્માતાઓએ ટ્વિટ કરીને લખ્યું, “અમે અમારી ફિલ્મ રાધેશ્યામની રિલીઝને હાલની કોવિડ પરિસ્થિતિને કારણે સ્થગિત કરવી પડી રહી છે.તમામ ચાહકોને વગર શરતે પ્રેમ અને સમર્થન માટે અમારા તરફથી આભાર.અમે તમને ટૂંક સમયમાં થિયેટરોમાં જોઈશું…. ! #RadheShyamPostponed

ટ્વિટની સાથે ટીમ દ્વારા શેર કરવામાં આવેલ ફોટોમાં લખ્યું છે, “અમે છેલ્લા કેટલાક દિવસોથી અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા હતા, પરંતુ ઓમિક્રોનના  વધતા જતા કેસોને જોતા એવું લાગે છે કે,હવે મોટા પડદા પર આવવા માટે અમારે રાહ જોવી પડશે. અમને ખાતરી છે કે,તમારો પ્રેમ અમને આ મુશ્કેલ સમયમાં એકસાથે ઉભા થવામાં મદદ કરશે.ટૂંક સમયમાં તમને થિયેટરોમાં જોઈશું.”

હાલમાં મેકર્સએ પીઆર સ્ટેટમેંટ જારી કરતા જણાવ્યું હતું કે,આ મોટા બજેટની ફિલ્મ 14 જાન્યુઆરી, 2022 ના રોજ રિલીઝ થશે.આ ફિલ્મને મુલતવી રાખવામાં આવી રહી નથી.આ સાથે ફિલ્મ નિર્માતાઓએ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી પણ કરી હતી.પ્રભાસ અને પૂજા હેગડે અભિનીત ‘રાધે શ્યામ’ની રિલીઝની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ ફિલ્મ 14 જાન્યુઆરી 2021ના રોજ રિલીઝ થવાની હતી.