Site icon Revoi.in

મહાનાયક મંગલ પાંડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શ્રદ્ધાંજલી

Social Share

નવી દિલ્હીઃ ભારતની આઝાદીના મહાનાયક મંગલ પાંડેની જન્મજ્યંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ ઉપરાંત દેશના અન્ય રાજકીય મહાનુભાવોએ પણ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “મહાન મંગલ પાંડે હિંમત અને દ્રઢનિશ્ચયનો પર્યાય છે. તેમણે આપણા ઈતિહાસના અત્યંત નિર્ણાયક સમયગાળામાં દેશભક્તિની ચિનગારી પ્રજ્વલિત કરી અને અસંખ્ય લોકોને પ્રેરણા આપી. તેમની જન્મજયંતી પર તેમને યાદ કરીએ છીએ. આ વર્ષની શરૂઆતમાં મેરઠમાં તેમની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી.”