Site icon Revoi.in

ભાજપના નેતા બાબુલ સુપ્રિયોએ શા માટે ગણાવ્યા રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા જોકર!

Social Share

લખનૌ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ નિશાન બનાવ્યા હતા. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિમિક્રી પણ કરી હતી. રાહુલ ગાંધીને મિમિક્રી કરતા જોઈને કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોએ રાહુલ ગાંધી પર વેધક શાબ્દિક હુમલો કર્યો છે. બાબુલ સુપ્રિયોએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે રજૂ થાય છે દેશનો સૌથી મોટો જોકર.

કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા બાબુલ સુપ્રિયોએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વેધક વાકપ્રહાર કરતા ટ્વિટમાં જણાવ્યું છેકે રજૂ થાય છે ભારતનો મોસ્ટ પોપ્યુલર કોમેડિયર/ જોકર અને સાથે જ એક માત્ર કોમેડિયન જે જામીન પર છે. મહત્વપૂર્ણ છે કે સોમવારે લખનૌની રેલીમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને નિશાન બનાવતા તેમની મિમિક્રી કરી હતી.

સોમવારે યુપીના પાટનગર લખનૌમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની સાથે રાહુલ ગાંધીએ પણ જનતાને સંબોધિત કરી હતી. તે વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની મિમિક્રી કરતા કહ્યુ હતુ કે પહેલા નરેન્દ્ર મોદીજી આમ ભાષણ આપતા હતા, છપ્પન ઈંચની છાતી, આમ (છાતી પહોળી કરીને દેખાડતા)… પરંતુ આજકાલ નરેન્દ્ર મોદીજી આમ (છાતી છૂપવાતા એટલે કે ઓછી પહોળી કરતા) ભાષણકરે છે અને કહે છે – ભાઈઓ-બહેનો હું અનિલ અંબાણીને ઓળખતો નથી. મે અનિલ અંબાણીને ત્રીસ હજાર કરોડ રૂપિયા આપ્યા નથી. વાયુસેનાના લોકોએ એ કહ્યું નથી કે હું સમાંતર નિગોશિએશન કરું છું. ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખે પણ નથી કહ્યુ કે નરેન્દ્ર મોદીએ મને સાફ કહ્યુ છે કે ત્રીસ હજાર કરોડ રૂપિયા અનિલ અંબાણીને મળ્યા છે.

પહેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિમિક્રી કરી અને તેના પછી તેમને નિશાન બનાવતા કહ્યુ હતુ કે નરેન્દ્ર મદીની અંદર જે ખોખલાપણું હતું, તે આખા દેશની સામે આવી ગયં છે. આખા દેશને, દેશની માતાઓને દેશના ખેડૂતોને ખબર પડી ગઈ છે કે ચોકીદાર ચોર છે અને તેમણે જ અનિલ અંબાણીને ત્રીસ હજાર કરોડ રૂપિયા આપ્યા છે.