Site icon Revoi.in

રાહુલ ગાંધી આજે પોતાનો સત્તાવાર બંગલો ખાલી કરશે,ખુદ અધિકારીઓને આપશે ચાવી

Social Share

દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવાર સુધી સરકારી બંગલામાંથી પોતાનો તમામ સામાન ખાલી કરી દીધો છે. સૂત્રોનું માનીએ તો તેઓ 22 એપ્રિલ શનિવારના રોજ 12, તુગલક લેન ખાતેનો બંગલો લોકસભા સચિવાલયને સોંપશે. ખરેખર, બંગલો ખાલી કરવાની ડેડલાઈન શનિવારે જ પૂરી થઈ રહી છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી પોતે સંબંધિત મિલકત વિભાગના અધિકારીઓને ચાવી સોંપશે. લોધી એસ્ટેટ હાઉસ ખાલી કરતી વખતે પ્રિયંકા ગાંધીએ પણ આવું કર્યું હતું.

સુરતની એક કોર્ટે મોદી સરનેમ કેસમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખને દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. બીજા દિવસે, લોકસભા સચિવાલયે તેમનું સાંસદ પદ રદ કરી દીધું હતું. તેમની ગેરલાયકાત પછી, તેમને 22 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું.

14 એપ્રિલના રોજ રાહુલ ગાંધીએ તેમની ઓફિસ અને કેટલીક અંગત ચીજવસ્તુઓ સરકારી નિવાસસ્થાનમાંથી તેમની માતા સોનિયા ગાંધીના સત્તાવાર નિવાસસ્થાને શિફ્ટ કરી હતી. આ પછી, જે પણ સામાન બચ્યો હતો, તે પણ હવે તેઓએ શિફ્ટ કરી દીધો છે. શુક્રવાર સુધીમાં ઘર સંપૂર્ણપણે ખાલી થઈ ગયું છે. તેમનો સામાન લઈને જતી એક ટ્રક બિલ્ડિંગમાંથી બહાર નીકળતી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે,દિલ્હીમાં રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, કેન્દ્રીય પ્રધાનો, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, સાંસદો અને અમલદારોને આપવામાં આવેલા સરકારી આવાસ લ્યુટિયન ઝોન હેઠળ આવે છે. આ સરકારી મકાનોની ફાળવણી, જાળવણી અને ભાડાનું કામ એસ્ટેટ નિયામક દ્વારા જોવામાં આવે છે. તે 1922 માં બનાવવામાં આવ્યું હતું, જે શહેરી આવાસ મંત્રાલય હેઠળ આવે છે.

Exit mobile version