Site icon Revoi.in

રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્ન હવે એપ્રિલમાં નહી થાય- જાણો આ કપલ ક્યારે લેશે સાત ફેરા

Social Share

 

મુંબઈઃ- બોલિવૂડમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ચર્ચાઓ જોરશોરમાં ચાલતી હોય છે, આ બન્નેની કેમેસ્ટ્રી દુનિયાથઈ છૂપી નથી, હંમેશા એકબીજા સાથે જોવા મળે છે અને એકબીજાને જાહેરમાં સપોર્ટ કરતા જોવા મળે છે, ત્યારે હવે આ કપલના લગ્ન લંબાયા છે.

રણબીર આલિયા હજુ 2022માં લગ્ન કરશે પરંતુ લગ્નનો મહિનો બદલાઈ ગયો છે.પહેલા એપ્રિલ મહિનામાં લગ્ન કરવાના સમાચાર સામે આવ્યા હતા જો કે હવે ઓક્ટોબરમાં આ કપલ સાતફેરા લેશએ તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે ઘણી પ્રશંસા મેળવી રહી છે. ગંગુબાઈ પછી પણ તેમના ઘણા પ્રોજેક્ટ લાઈનમાં જોવા મળી રહ્યા છે. આ સિવાય રણબીર કપૂર પણ તેના શૂટિંગમાં વ્યસ્ત છે. ગયા વર્ષે આ કપલ લગ્નના બંધનમાં બંધાવાના હતા પરંતુ કોવિડના કારણે લગ્ન  અટક્યા હતા. તે જ સમયે, સમાચાર આવ્યા કે કપલ એપ્રિલ 2022 માં લગ્ન કરશે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે એપ્રિલમાં પણ આ કપલ લગ્ન નહીં કરે.

રિપોર્ટની જો માનીએ તો હવે આ કપલ ઓક્ટોબર 2022માં લગ્ન કરશે. જોકે, લગ્નને લઈને હજુ સુધી કપલ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી રણબીર-આલિયાના લગ્નની તારીખો કેમ પાછળ-પાછળ થઈ રહી છે તે અંગે કોી માહિતી મળી નથી.આ દંપતીનું નવું ઘર, ક્રિષ્ના રાજ, હજી તૈયાર નથી.