Site icon Revoi.in

જાણીતી પી.ગૌતમ એન્ડ કંપનીના ઓનર સુરેન્દ્રકુમાર ગાંધીનું નિધન

Social Share

અમદાવાદઃ ગુજરાતની જાણીતી પી.ગૌતમ એન્ડ કંપનીના ઓનર સુરેન્દ્રકુમાર નવનીતલાલ ગાંધી (મૂળ, રણુંજ)નું 74 વર્ષની ઉંમરે નિધન થયું છે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિ અને સગા-સંબંધી જોડાયાં હતા. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)એ સુરેન્દ્રકુમાર ગાંધીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. સદગતનું બેસણું આવતીકાલે રવિવારે 9થી 11 કલાક સુધી પાલડી-ભઠ્ઠા સ્થિત મણીભુવન ખાતે રાખવામાં આવ્યું છે.

Exit mobile version