Site icon Revoi.in

PM મોદીને મળ્યા રશિયન સુરક્ષા પરિષદના સચિવ પાત્રુશેવ,બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગ મામલે થઈ ચર્ચા

Social Share

 

દિલ્હીઃ-  રશિયાની સુરક્ષા પરિષદના સચિવ નિકોલાઈ પાત્રુશેવ  કે જેઓ  રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના નજીકના સાથી છે જેમણે વિતેલા દિવસને  બુધવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.પ્રાપ્ત વિગત પ્રમાણે આ બન્ને નેતાઓ એ  બંને દેશોના “પરસ્પર હિતો” પર ચર્ચા કરી હતી જેની માહિતી અંગે રશિયન સમાચાર એજન્સીઓએ અહેવાલ આપ્યો હતો.

આ મુલાકાત વખતે  નિકોલાઈ પાત્રુશેવે સાર્વત્રિક માનવ મૂલ્યોને જાળવી રાખવા, સાર્વભૌમ રાજ્યોની ઘરેલું બાબતોમાં દખલ અટકાવવા તેમજ એકપક્ષીય પ્રતિબંધો અને પ્રતિબંધિત પગલાંની નીતિનો સામનો કરવાની જરૂરિયાત પર વિશેષ ધ્યાન આપ્યું.

ઉલ્લેખનીય છે કે રશિયાની પ્રભાવશાળી સુરક્ષા પરિષદના સચિવ નિકોલાઈ પાત્રુશેવ, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક માટે ભારતમાં હતા, એક પ્રાદેશિક જૂથ જે રશિયા, ભારત, ચીન અને સમગ્ર મધ્ય એશિયામાંથી સંખ્યાબંધ રાજ્યોને એકસાથે લાવે છે.આ સહીત નિકોલાઈ પાત્રુશેવે આંતરરાષ્ટ્રિય સંગઠિત અપરાધ, આતંકવાદ અને નિયો-નાઝીવાદના પુનરુત્થાન સામે સંયુક્ત રીતે લડવા માટે ચોક્કસ પગલાં લેવાની હાકલ કરી.

ભારતમાં માં રશિયન દૂતાવાસે બન્ને નેતાઓની મુલાકાતને લઈને ટ્વીટ કર્યું હતું અને કહ્યું કે , “નવી દિલ્હીમાં, રશિયન સુરક્ષા પરિષદના સચિવ નિકોલે પાત્રુશેવનું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. રશિયા-ભારતના પરસ્પર હિતના દ્વિપક્ષીય સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.”

આ અગાઉના દિવસે, નિકોલાઈ પાત્રુશેવ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળ્યા હતા. બેઠક દરમિયાન, બંને પક્ષોએ સુરક્ષા ક્ષેત્રમાં રશિયા અને ભારત વચ્ચે વધુ સહયોગ માટે માર્ગો દર્શાવ્યા હતા