Site icon Revoi.in

વૈજ્ઞાનિકોએ શોધ્યા જાંબલી રંગના રિંગણ જેવા આ ટામેટા ,જાણો આ ટામેટાના શું છે ગુણઘર્મો

Social Share

 સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ટામેટા લાલ રંગના જ હોય છે જેને ખાવાથી પણ અનેક ફાયદાઓ થાય છે,પરંતુ હવે રિંગણ કલરના એટલે કે જાંબલી કલરના પણ ટામેટા હોય છે.જે જાણીને સૌ કોઈને નવાઈ તો લાગશે જ.

 પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ જાંબલી રંગના ટામેટામાં વધુ એન્ટીઓક્સીડેન્ટ ગુણો સમાયેલા હોય છે. જે કેન્સર સામે લડવાની ક્ષમતા પણ ધરાવે  છે. જાંબલી ટામેટાં વિકસાવવા માટે યુરોપિયન વૈજ્ઞાનિકોની મહેનતને હવે યુએસએ મંજૂરી આપી દીધી છે. આ ટામેટાં હવે અમેરિકન શાક માર્કેટમાં વેચવામાં આવશે. નેચર બાયોટેકનોલોજીમાં પ્રકાશિત, આ કાર્યાત્મક ખોરાકનો વિકાસ કેટલાક મોટા રોગોને રોકવામાં મદદ કરી શકે છે.

યુએસડીએએ દાવો કર્યો હતો કે છોડના જીવાતથી યુ.એસ.ને જોખમમાં મૂકે તેવી શક્યતા ઓછી છે, જે દર્શાવે છે કે તેનો દેશમાં કોઈપણ જોખમ વિના તેનો ઉપયોગ થઈ શકે છે અને જોખમ વિના  તેનું ઉત્સાદન  કરવામાં આવી  શકે છે.

આ ટામેટા સ્થૂળતા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જોખમ ઊભું કરી શકે છે. સંશોધકોએ વધુમાં દાવો કર્યો હતો કે આ ટામેટાંમાં કોઈ વિશિષ્ટ સ્વાદ કે ગંધ નથી, પરંતુ તે થોડો એસિડિક સ્વાદ આપે છે.

 સંશોધકો આમ તો આ બાબતે વર્ષ 2008 વર્ષથી જાંબલી ટામેટાંના સફળ વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.જેમણે સ્નેપડ્રેગન ફૂલોમાંથી એન્થોકયાનિન કાઢ્યા અને પછી જાંબલી રંગના ટામેટાં ઉત્પન્ન કરવા માટે તેને લાલ ટામેટાંમાં પરિવર્તિત કર્યા.જાંબલી ટામેટાંમાં એન્થોકયાનિનની ઉચ્ચ સાંદ્રતા હોય છે, જે ત્વચા અને આંતરિક અવયવોને ઝેરી પ્રદાર્થથી બચાવવામાં મદદ કરે છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસ અહેવાલ આપે છે કે જાંબલી ટામેટાંના બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો વય-સંબંધિત ડીજનરેટિવ રોગોને રોકવામાં પણ મદદ કરી શકે છે.

Exit mobile version