Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર : સુરક્ષા દળોને મળી સફળતા,4 આતંકવાદીઓ માર્યા ગયા

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના દ્રાસમાં સુરક્ષાદળો સાથે ચાલી રહેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.આ ત્રણ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. આ એન્કાઉન્ટર મંગળવારે સાંજે શરૂ થયું હતું. આ સિવાય મુલુમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી પણ માર્યો ગયો છે.

ADGP કાશ્મીરે કહ્યું કે, શોપિયાંના દ્રાસમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ત્રણેય આતંકવાદીઓ સ્થાનિક છે અને તેઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. આ સિવાય લગભગ બે કલાક પહેલા મુલુમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓનું એન્કાઉન્ટર પણ શરૂ થઈ ગયું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બે આતંકવાદીઓ હનાન બિન યાકુબ અને જમશેદ તાજેતરમાં જ એસપીઓ જાવેદ ડાર અને પશ્ચિમ બંગાળના એક મજૂરની હત્યામાં સામેલ હતા.2 ઓક્ટોબરે આતંકીઓએ SPOની હત્યા કરી દીધી હતી.આ સિવાય આતંકવાદીઓએ 24 સપ્ટેમ્બરે બંગાળના એક મજૂરની હત્યા કરી નાખી હતી.2 ઓક્ટોબરે, પુલવામાના પિંગલાનામાં આતંકવાદીઓએ CRPF અને પોલીસની સંયુક્ત પાર્ટી પર ગોળીબાર કર્યો હતો, જેમાં SPO જાવેદ અહેમદ ડારે ફરજની લાઇનમાં જીવ ગુમાવ્યો હતો.

Exit mobile version