Site icon Revoi.in

જુનાગઢમાં શિવરાત્રીના મેળાનો આજથી પ્રારંભ, ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ

Social Share

જુનાગઢઃ  ગરવા ગિરનારની ગોદમાં આજથી વિધિવત શિવરાત્રી મેળાનો રંગેચંગે પ્રારંભ થશે. ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમથી ઓળખતા આ મેળામાં દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે, આજે તા. 5મી માર્ચથી 8 માર્ચ સુધી યોજાનારા મેળામાં પોલીસ ઉપરાંત વન વિભાગના કર્મચારીઓને પણ બંદોબસ્તમાં જોતરવામાં આવ્યા છે.  “બમ બમ ભોલે નાથ”, “હર હર મહાદેવ” અને “જય જય ગિરનારી” ના નાદ સાથે આજે સવારે 9:00 કલાકે ભવનાથ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ થશે.

જુનાગઢના ભવનાથની તળેટીમાં આજથી શિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. દર વર્ષની જેમ ઘણાબધા એનઆરઆઈ પણ વિદેશથી શિવરાત્રીના મેળાને માણવા માટે આવી પહોંચ્યા છે.  શિવરાત્રીના મેળામાં જાતજાતના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. અન્ન ક્ષેત્રોએ પણ પોતાની સેવા આપવા તૈયારી કરી પૂર્ણ કરી છે. આજે સવારે 9 વાગ્યે સંતો, મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવનાથ મંદિર પર નૂતન ધજારોહન થશે. અને ત્યારબાદ ભવનાથ ક્ષેત્રમાં પધારેલા નાગા સાધુઓ તથા તમામ અખાડાઓમાં ધુણાઓ ચેતનવંતા કરશે તે સાથે જ ભવનાથનો શિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ જશે.

ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રીનો મેળો, ત્યારે સાધુ સંતોનું ભવનાથ ક્ષેત્રમાં આગમન થઈ ગયું છે અને સાધુઓ પોતાના ધુણાઓ બનાવી દીધા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા પણ તૈયારીઓને આખરીઓ આપી દેવામાં આવ્યો છે. જૂનાગઢ શિવરાત્રી મેળામાં અન્ન ક્ષેત્રો દ્વારા ભાવિકોને વિનામૂલ્ય ભોજન પ્રસાદી પીરસવામાં આવશે. ઉતારા મંડળ તેમજ સાધુ સંતોના આશ્રમોમાં ભજનની રમઝટ બોલી રહી છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત ભરના કલાકારો પોતાની કલા પીરસવા અહીં આવી રહ્યા છે.  વિવિધ સ્ટોલ પણ ઊબા કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા વહીવટી અને જૂનાગઢ આરોગ્ય તંત્ર દ્વારા પ્રથમ વાર ફર્સ્ટ એડ કીટ વિતરણ કરાયું છે. રાજ્યભરમાંથી આવતી સેવાભાવી સંસ્થાઓ અને ભવનાથમાં અન્ય સ્થાયી ધાર્મિક સેવાભાવી સંસ્થાઓ-આશ્રમમાં પ્રથમ વાર ફર્સ્ટ એડ કીટ એટલે કે, તાવ, શરદી, પેટ તથા માથાના દુ:ખાવા તથા ઝાડ-ઉલટી વગેરે માટે જરુરી પ્રાથમિક દવાઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.