Site icon Revoi.in

દેશના તમામ રેલવે સ્ટેશનોની સાફ-સફાઈ ઉપર રખાશે વિશેષ ધ્યાન

Social Share

દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ જાહેર સ્થળોની સાફ-સફાઈ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે.છેલ્લા કેટલાક દિવસોથી રેલવે સ્ટેશનો, રેલ પરિસરોમાં મોટી સંખ્યામાં લોકો શ્રમદાન કરીને સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. રેલવે મંત્રાલય દ્વારા પણ તમામ રેલવે સ્ટેશનોની સાફ-સફાઈ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

https://www.kooapp.com/profile/RailMinIndia

રેલવે મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, અમે રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં આરામદાયક પ્રવાસ અને સ્વચ્છતા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ચેન્નાઈ સેન્ટ્રલ સ્ટેશનની કેટલીક તસ્વીરો શેયર કરી છે. તસ્વીરમાં પ્લેટફોર્મ એકદમ સાફ દેખાય છે.

રેલવે સ્ટેશનો ઉપર સાફ સફાઈની સાથે હાઈટેક સુવિધાઓ વધારવામાં આવી છે. આ સુવિધાઓથી સીધો લાભ પ્રવાસીઓને મળશે. મોટાભાગના રેલવે સ્ટેશનો ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત પ્રવાસીઓને વાઈફાઈની સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો કરાયાં છે. દરમિયાન તાજેતરમાં જ IRCTCએ રામ ભક્તો માટે ખાસ ભેટ આપી છે. ભારતીય રેલવે ભગવાન શ્રીરામના જીવન સાથે જોડાયેલા તમામ ધાર્મિક સ્થળોના દર્શન માટે ખાસ ટ્રેન દોડવામાં આવી રહી છે. આ ટ્રેન દિલ્હીથી નીકળી હતી. બીજી તરફ છઠ્ઠ મહાપર્વને લઈને ખાસ ટ્રેન પણ દોડાવવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા પ્રવાસીઓને યોગ્ય સુવિધાઓ મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

Exit mobile version