Site icon Revoi.in

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઊજવણી બોટાદ ખાતે કરાશે, CM ભૂપેન્દ્ર પટેલ ધ્વજ વંદન કરાવશે

Social Share

ગાંધીનગરઃ રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી-2023ની રાજ્યકક્ષાની ઊજવણી બોટાદ ખાતે કરાશે. 26મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ બોટાદ ખાતે ધ્વજવંદન કરાવશે. જયારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રાજકોટ ખાતે તથા રાજ્ય સરકારના મંત્રી તેમજ કલેકટરો  વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે તેમ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત

ક્રમ મંત્રીશ્રીઓના નામ જિલ્લો
કેબિનેટ મંત્રીશ્રીઓ
1. શ્રી કનુભાઈ દેસાઈ સુરત
2. શ્રી ઋષિકેશ પટેલ અમદાવાદ
3. શ્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ
4. શ્રી બળવંતસિંહ રાજપૂત બનાસકાંઠા
5. શ્રી કુંવરજીભાઈ બાવળિયા ગાંધીનગર
6. શ્રી મુળુભાઈ બેરા જામનગર
7. ડૉ. કુબેરભાઈ ડીંડોર દાહોદ
8. શ્રીમતી ભાનુબેન બાબરિયા ભાવનગર
રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ
9. શ્રી હર્ષ સંઘવી વડોદરા
10. શ્રી જગદીશ વિશ્વકર્મા મહેસાણા
11. શ્રી પરશોત્તમભાઈ સોલંકી અમરેલી
12. શ્રી બચુભાઈ ખાબડ ખેડા
13. શ્રી મુકેશભાઈ પટેલ વલસાડ
14. શ્રી પ્રફુલ પાનશેરીયા કચ્છ
15. શ્રી ભીખુસિંહજી પરમાર સાબરકાંઠા
16. શ્રી કુંવરજીભાઈ હળપતિ ભરૂચ

 

આ ઉપરાંત ગીર સોમનાથ, આણંદ, પોરબંદર, પંચમહાલ, નવસારી, તાપી, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે