Site icon Revoi.in

આંદામાન અને નિકોબારમાં જોરદાર ભૂકંપ,5.8ની તીવ્રતા સાથે ધ્રૂજી ધરા

Social Share

દિલ્હી:ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓમાં શનિવારે મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. GFZએ કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું.જોકે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

આ પહેલા અફઘાનિસ્તાનમાં શુક્રવારે સાંજે 6.09 કલાકે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપ ની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી. આ પહેલા 23 જુલાઈના રોજ સવારે 8.46 કલાકે અહીં ભૂકંપ આવ્યો હતો. ત્યારે તેની તીવ્રતા 4.6  નોંધાઈ હતી.

અરુણાચલ પ્રદેશમાં શુક્રવારે સવારે લગભગ 8.50 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, અરુણાચલ પ્રદેશના પેંગિનની ઉત્તરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી. આ પહેલા 22 જુલાઈએ અરુણાચલના તવાંગમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.