Site icon Revoi.in

સુડાનમાં સેના અને અર્ધલશ્કરી દળ વચ્ચે સહમતિ, 7 દિવસ સુધી રહેશે યુદ્ધવિરામ

Social Share

દિલ્હીઃ- સુડાનમાં ચાલી રહેલા યુદ્ધા વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છએ જે પ્રમાણે યુદ્ધગ્રસ્ત સુડાનમાં સેના અને અર્ધલશ્કરી દળ આરએસએફ વચ્ચે સાત દિવસીય યુદ્ધવિરામ પર સહમતિ દર્શાવી છે.

પ્જુરાપ્બાત વિગત પ્માંરમાણે દક્ષિણ સુડાનના વિદેશ મંત્રાલયે 2 મેના રોજ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે યુદ્ધવિરામ 4 થી 11 મે સુધી અમલમાં રહેશે. આ જાહેરાત સુડાનમાં ફસાયેલા વિદેશી નાગરિકોના સ્થળાંતરને વેગ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે  સુડાનમાં સત્તા પર કબજો કરવા માટે સેના અને અર્ધસૈનિક દળ વચ્ચે  છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે અત્યાર સુધી લગભગ 400 લોકો માર્યા ગયા છે અને ત્રણ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હોવાની માહીતી છે.

જાણકારી પ્રમાણે સુડાનમાં લડતા પક્ષો સાત દિવસના યુદ્ધવિરામ માટે સંમત થયા છે, જુબામાં દક્ષિણ સુડાનના વિદેશ મંત્રાલયે મંગળવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું. દક્ષિણ સુદાનના રાષ્ટ્રપતિ સાલ્વા કીર માયાર્ડિત સાથેની ટેલિફોન વાતચીતમાં, લડતા પક્ષો 4 મે થી 11 મે સુધી યુદ્ધવિરામ માટે સંમત થયા હતા

રાષ્ટ્રપતિ સાલ્વા કીરે સુદાનના નેતાઓને વિનંતી કરી છે કે તેઓ તેમના પ્રતિનિધિઓને નામ આપે અને શક્ય તેટલી વહેલી તકે વાટાઘાટો શરૂ કરવા માટે તારીખનો પ્રસ્તાવ મૂકે. તમને જણાવી દઈએ કે સલવા સુદાનના નેતાઓ સાથે પરામર્શ કરતી IGAD એસેમ્બલી ઓફ હેડ ઓફ સ્ટેટના જૂથના નેતા પણ છે.

રાષ્ટ્રપતિ કીરે સુદાનના નેતાઓને કહ્યું કે ખાર્તુમમાં ઝડપથી બગડતી માનવતાવાદી પરિસ્થિતિએ તણાવમાં વધારો કર્યો છે.કાર્યકારી વિદેશ અને આંતરરાષ્ટ્રીય મંત્રીઓ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના સમકક્ષો સાથે પણ સંપર્કમાં છે. કાર્યકારી મંત્રીએ ઇજિપ્ત, યુગાન્ડા, કેન્યા અને કેનેડાના વિદેશ મંત્રીઓ તેમજ વિદેશ, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસમાં બ્રિટિશ સેક્રેટરી ઓફ સ્ટેટ સાથે યુદ્ધવિરામ અને માનવતાવાદી પરિસ્થિતિના મુદ્દાઓ પર ચર્ચા કરી.

સુડાન આર્મ્ડ ફોર્સિસ  અને રેપિડ સપોર્ટ ફોર્સિસ ના નેતા જનરલ મોહમ્મદ હમદાન દગાલો, સૈદ્ધાંતિક રીતે યુદ્ધવિરામ માટે સંમત થયા છે. તેઓ વાટાઘાટો માટે તેમણે પ્રતિનિધિઓને નોમિનેટ કરવા પણ સહમતિ દર્શાવી છે.ઉલ્લેખનીય છે કે સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેના સંઘર્ષને કારણે સુડાનમાં ભારે લોહીની નદીઓ વહી  રહી છે. ભારત પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે ભારતમાં લાવવા માટે ઓપરેશન કાવેરી પણ  ચલાવી રહ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લગભગ 3000 વિદેશી ભારતીયો દેશમાં પહોંચ્યા છે.