Site icon Revoi.in

IPL-2021: કોલકત્તાને ફાઈનલ નજીક પહોંચાડનાર સુનીલ નરેન માટે વેસ્ટ ઈન્ડીઝની ટીમે દરવાજા કર્યા બંધ, વિશ્વ કપ નહીં રમે

Social Share

જે મેચમાં RCB સામે ઓફ સ્પિન કરતા ​​મિસ્ટ્રી સ્પિનર ​​સુનિલ નરેને જે ટીમની જીતનો મુખ્ય હિરો હતો. તેણે શાનદાર બોલિંગ કરી, ચાર ઓવરમાં 21 રન આપ્યા અને ચાર વિકેટ પોતાના નામે કરી હતી. આ મેચમાં તેણે વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ પછી, તેણે તેના બેટથી પણ કર્યો હતો. આઈપીએલમાં તેણે કરેલું પ્રદર્શન જોઈને દરેક વ્યક્તિ તેને પોતાની ટીમમાં સામેલ કરવા ઈચ્છશે. પરંતુ ટી20 વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન કિરોયન પોલાર્ડ આ દિગ્ગજ સ્પિનરને પોતાની ટીમમાં નથી ઈચ્છતો. પોલાર્ડ IPL માં મુંબઈ ઇન્ડીયન્સ ટીમ તરફથી રમે છે. તેમની ટીમ આ વખતે પ્લેઓફમાં સ્થાન મેળવી શકી નથી.

કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ લાંબા સમય બાદ આઇપીએલની ફાઇનલ રમવાની નજીક છે. IPL 2021 માં, તે બુધવારે ક્વોલિફાયર-2 માં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ જીતનાર ટીમ ફાઇનલમાં પહોંચશે અને તે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમશે.

પોલાર્ડ હાલમાં દુબઈમાં છે કારણ કે ટી ​20 વર્લ્ડ કપ UAE માં જ રમાવાનો છે. પોલાર્ડે મંગળવારે ટીમમાં નરેનનો સમાવેશ કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે 15 સભ્યોની ટીમમાં કોઈ ફેરફાર નથી.