- મંદિરની રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના
- વીજ કરંટ લાગવાથી બે બાળકો સહીત 10ના મોત
- પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય કર્યું શરુ
ચેન્નાઈ:તમિલનાડુના તંજાવુરમાં કાલીમેડુ સ્થિત એક મંદિરમાં 10 લોકોને વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યા છે.આ અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.માહિતી મળતાં જ પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું અને રાહત કાર્ય શરૂ કર્યું.
હકીકતમાં, મંદિરમાં 94મો ઉચ્ચ ગુરુપૂજા ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં મંગળવાર રાતથી જ આસપાસના વિસ્તારોમાંથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
આ દરમિયાન બુધવારે સવારે પરંપરાગત રથયાત્રા શહેરના માર્ગો પર નિકળી હતી.જ્યાં ભગવાનના રથને ખેંચવા માટે સેંકડો ભક્તો વચ્ચે હરીફાઈ ચાલી રહી હતી ત્યારે અચાનક વીજ વાયર રથને અડી જતાં કરંટ લાગતા 2 બાળકો સહિત 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આ પછી, કરંટથી ઘાયલ થયેલા ઘણા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.તો, વહીવટીતંત્રની ટીમો પહોંચી ગઈ છે અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.