Site icon Revoi.in

વિશ્વમાં ઘટી રહ્યા છે TB ના કેસ,WHO એ આપી જાણકારી

Social Share

દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેનો ગ્લોબલ ટીબી રિપોર્ટ 2023, 7 નવેમ્બરના રોજ જાહેર કર્યો. રિપોર્ટ અનુસાર, ભારતે કેસની તપાસમાં સુધારો કરવામાં જબરદસ્ત પ્રગતિ કરી છે અને ટીબી પ્રોગ્રામ પર કોવિડ-19ની અસરને ઉલટાવી દીધી છે. ટીબીના અંદાજિત કેસોમાં સારવારનું કવરેજ સુધરીને 80 ટકા થયું છે, જે અગાઉના વર્ષની સરખામણીએ 19 ટકાનો વધારો દર્શાવે છે.

ભારતના પ્રયાસોને પરિણામે વર્ષ 2022માં ટીબીની ઘટનાઓમાં 16 ટકાનો ઘટાડો થયો છે (વર્ષ 2015થી) જે ઝડપથી વૈશ્વિક સ્તરે ટીબીનાં રોગમાં ઘટાડો થઈ રહ્યો છે (જે 8.7 ટકા છે) જે ઝડપથી લગભગ બમણી થઈ ગયો છે. ભારત અને વૈશ્વિક સ્તરે આ જ સમયગાળા દરમિયાન ટીબીના મૃત્યુદરમાં પણ 18 ટકાનો ઘટાડો થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ટીબીના મૃત્યુદરમાં 2021માં 4.94 લાખથી ઘટાડીને 2022માં 3.31 લાખનો ઘટાડો કર્યો છે, જે 34 ટકાથી વધુનો ઘટાડો છે.

ગ્લોબલ ટીબી રિપોર્ટ 2022માં, વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર, એ સમજણ સાથે ભારત માટે ડેટાને “વચગાળાના” તરીકે પ્રકાશિત કરવા સંમત થયા હતા કે ડબ્લ્યુએચઓ આ આંકડાઓને અંતિમ સ્વરૂપ આપવા માટે મંત્રાલયની તકનીકી ટીમ સાથે કામ કરશે.

આ પછી, ડબ્લ્યુએચઓ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની તકનીકી ટીમો વચ્ચે 50થી વધુ બેઠકો થઈ હતી, જેમાં દેશની ટીમે ઉત્પન્ન થયેલા તમામ નવા પુરાવા રજૂ કર્યા હતા, ઇન-કન્ટ્રી મેથેમેટિકલ મોડેલિંગ વિકસિત કરવામાં આવ્યું હતું, જેમાં નિ-ક્ષે પોર્ટલના ડેટાનો સમાવેશ થાય છે જે ટીબીના દરેક દર્દીની સારવાર દરમિયાન તેમના જીવનચક્રને કેપ્ચર કરે છે.

ડબ્લ્યુએચઓની ટીમે પ્રસ્તુત તમામ ડેટાની સઘન સમીક્ષા કરી હતી અને માત્ર સ્વીકાર જ નહીં, પરંતુ દેશ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા પણ કરી હતી. આ વર્ષે, ગ્લોબલ ટીબી રિપોર્ટે ભારના અંદાજમાં, ખાસ કરીને ટીબી સંબંધિત મૃત્યુદરના આંકડામાં ઘટાડો કરીને ભારત માટે સુધારેલા અંદાજોને સ્વીકાર્યા છે અને પ્રકાશિત કર્યા છે.

અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ભારતની સઘન કેસ શોધવાની વ્યૂહરચનાના પરિણામે કેસોની અત્યાર સુધીની સૌથી વધુ સૂચના મળી છે – 2022માં, 24.22 લાખથી વધુ ટીબી કેસોને સૂચિત કરવામાં આવ્યા હતા, જે કોવિડ પહેલાના સ્તરને વટાવી ગયા હતા. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અને વિસ્તૃત કરવામાં આવેલી મુખ્ય પહેલો જેવી કે વિશિષ્ટ સક્રિય કેસ ફાઇન્ડિંગ ડ્રાઇવ્સ, બ્લોક સ્તર સુધી મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સનું સ્કેલિંગ, આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ દ્વારા સ્ક્રિનિંગ સેવાઓનું વિકેન્દ્રીકરણ અને ખાનગી ક્ષેત્રના જોડાણને કારણે ગુમ થયેલા કેસોમાં રહેલા તફાવતને નોંધપાત્ર રીતે દૂર કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનને સમગ્ર દેશમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જેમાં ટીબીના 11 લાખથી વધુ દર્દીઓને દત્તક લેવા માટે તમામ ક્ષેત્રોમાંથી 1 લાખથી વધુ નિ-ક્ષય મિત્રો આગળ આવ્યા છે. નિ-ક્ષય પોષણ યોજના હેઠળ વર્ષ 2018માં ટીબીનાં 95 લાખથી વધારે દર્દીઓને આશરે રૂ. 2613 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે. મૃત્યુદરમાં વધુ ઘટાડો થાય અને સારવારની સફળતાના દરમાં સુધારો થાય તે સુનિશ્ચિત કરવા માટે ફેમિલી કેર ગિવર મોડલ અને ડિફરન્ટિફાઈડ કેર જેવી નવી દર્દી કેન્દ્રિત પહેલો રજૂ કરવામાં આવી છે.

અહેવાલમાં એમ પણ નોંધવામાં આવ્યું છે કે ભારતે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના નેજા હેઠળ અમલમાં મૂકવામાં આવતા રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમમાં વધારાના સંસાધનોના રોકાણ સાથે ટીબી નાબૂદીના પ્રયત્નોને પ્રાથમિકતા આપવા માટે સાહસિક પગલાં લીધાં છે.