Site icon Revoi.in

મોબાઇલથી પેમેન્ટ વખતે રાખો આટલી તકેદારી, અન્યથા બેંક ખાતુ થઇ જશે ખાલી

Social Share

નવી દિલ્હી: ટેક્નોલોજી આપણા જીવનને વધુ સરળ બનાવે છે પરંતુ સાથે સાથે તેનાથી નુકસાન પણ એટલું જ રહેલું છે. જો સાવધાનીપૂર્વક ટેક્નોલોજીનો ઉપયોગ ના કરવામાં આવે તો ક્યારેક મોટું નુકસાન થઇ શકે છે. હાલના સમયમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને તમારી નાની લાપરવાહી પણ તમારું બેંક એકાઉન્ટ સાફ કરાવી શકે છે. તેથી મોબાઇલથી બેંકને લગતા કામકાજ કરવામાં કેટલીક તકેદારી રાખવી આવશ્યક છે.

આજે મોટા ભાગના લોકો બેંકને લગતા મોટા ભાગના કામકાજ મોબાઇલથી કરતા હોય છે. આ સમયમાં સાઇબર ક્રાઇમની શક્યતા વધી જાય છે. સાઇબર ઠગો અવનવી મોડર ઓપરેન્ડીથી લોકોને છેતરતા હોય છે. ત્યારે તમારે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. કેટલીક મોડસ ઓપરેન્ડીથી તમારે માહિતગાર થવાની જરૂર છે. તમે પણ તેના વિશે જાણીને છેતરપિંડીથી બચી શકો છો.

ક્યૂઆર કોડ:

આજકાલ ક્યૂઆર કોડથી ફ્રોડ થાય છે. ઠગબાજ મોબાઇલ પર ક્યૂઆર કોડ મોકલે છે અને તેનાથી લોકો સાથે ઠગાઇ કરે છે. લોકો મોબાઇલ પર આવેલ QR કોડ સ્કેન કરે એટલે ઠગબાજ મોબાઇલથી ક્યૂઆર કોડ સ્કેન કરી લે છે અને બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લે છે.

UPI:

UPIના માધ્યમથી મોટાભાગે ફ્રોડ કરવામાં આવે છે.UPIથી સાઈબર માફિયા કોઈ પણ વ્યક્તિને ડેબિટ લિંક મોકલે છે.અને જેવા તમે એ લીંક પર ક્લિક કરી પીન નાખો એટલે એકાન્ટ સાફ થઈ જાય.આવા ફ્રોડથી બચવા કોઈ પણ અજાણ લીંક પર ક્લીક ન કરો.

નોકરીના નામે છેતરપિંડી:

બેરોજગાર લોકોને પણ નોકરીના નામે છેતરપિંડીનો ભોગ બનાવાય છે. નોકરી માટે ખોટી ખોટી જાહેરાતો આપીને મોબાઇલ પર લિંક મોકલવામાં આવે છે. જેનાથી સાઇબર માફિયાઓ તમારી માહિતી મેળવી લે છે. અને નોકરીના નામે તમારી પાસેથી પૈસા પડાવી લે છે. જેથી કોઇપણ પોર્ટલ પર ફીના નામે રૂપિયા ભરતા પહેલા પુરતી માહિતી મેળવી લેવી જરૂરી છે.

બેંક ખાતાની તપાસ:

બેંક ખાતાની તપાસના નામે પણ તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.જેથી તમામ લોકોએ યોગ્ય સમયે પોતાના બેંક ખાતાની તપાસ કરવી જોઈએ.જો કોઈ ગરબડ લાગે તો બેંકમાં જઈને માહિતી મેળવવી જોઈએ.

ATM કાર્ડ ક્લોનિંગ:

હાલમાં ATM કાર્ડ ક્લોનિંગની ઘટનાઓ પણ વધી રહી છે. સાઇબર ઠગો ગ્રાહકો પાસેથી ATMની કેટલીક વિગતો મેળવી લે છે અને બાદમાં નકલી ATM કાર્ડ બનાવી તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડીને ઠગાઇ કરે છે.

સાઇબર ક્રાઇમને રોકવા માટેનો હેલ્પલાઇન નંબર

સાઇબર ક્રાઇમને રોકવા માટે સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર 155260 જાહેર કરવામાં આવ્યો છે. જેને ગૃહ મંત્રાલય અંતર્ગત ભારતીય સાઇબર અપરાધ કેન્દ્ર દ્વારા ઑપરેટ કરવામાં આવે છે.

તે ઉપરાંત તમે હેલ્પલાઇન સિવાય સરકારની વેબસાઇટ https://cybercrime.gov.i/ પર પણ સાઇબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી શકો છો. ગૃહ મંત્રાલયે ગત વર્ષે સાઈબર પોર્ટ https://cybercrime.gov.i/ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.