Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ પ્રવાસી કામદારની કરી હત્યા

Social Share

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકવાદીઓનો કહેર ફેલાયેલો રહે છે ઘુસણખોરીથી લઈને બોમ્બ બ્લાસટ જેવી અનેક ઘટનાઓને આતંકીઓ અંજામ આપવાની તૈયારીમાં રહેતા હોય છે જો કે સેનાના જનાવો ખડે પગે રહીને આતંકી પ્રવૃત્તિઓને નિષ્ફળ કરવાના પ્રયત્ન કરતા હોય છે.ત્યારે આજરોજ સોમવારે આતંકીઓએ એક પ્રવાસી મજદુરને નિશાન બનાવી તેની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે.

માહિતી પ્રમાણે પુલવામામાં આતંકવાદીઓ દ્વારા ઉત્તર પ્રદેશના એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના મુકેશ સિંહને પુલવામા જિલ્લાના રાજપોરા વિસ્તારમાં આજરોજ બપોરે 12 વાગ્યે ને 40 મિનિટ આસપાસ આ ગોળી મારવાની ઘટના બની હતી.આ ઘટના બાદ આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. 

છેલ્લા 24 કલાકમાં કાશ્મીર ઘાટીમાં આ બીજો આતંકવાદી હુમલો છે. શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ અધિકારી પર ગોળી મારીને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. ઈન્સ્પેક્ટર મસરૂર અહેમદ વાનીને ત્રણ વખત ગોળી વાગી હતી ,ઓ ગોળી ત્યારે મારવામાં આવી હતી કે જ્યારે  રવિવારે ઈદગાહ વિસ્તારમાં ક્રિકેટ રમતો હતો ત્યારે 24 કલાકમાં જ આ બીજી ઘટના બની છે.