Site icon Revoi.in

પશ્ચિમ બંગાળની નહેરમાંથી સિક્કિમના પૂર્વ મંત્રી આરસી પૌડ્યાલનો મૃતદેહ મળ્યો

Social Share

ગંગટોકઃ સિક્કિમના પૂર્વ મંત્રી આરસી પૌડ્યાલનો મૃતદેહ પશ્ચિમ બંગાળના સિલીગુડી પાસેની નહેરમાંથી મળી આવ્યો છે. તેઓ 9 દિવસથી ગુમ હતા. પોલીસે જણાવ્યું કે પૌડ્યાલ (80)નો મૃતદેહ ફુલબારીમાં તિસ્તા નહેરમાંથી મળ્યો હતો.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે, “પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે મૃતદેહ તિસ્તા નદીમાંથી તણાઈને આવ્યો છે. મૃતદેહની ઓળખ ઘડિયાળ અને કપડાં દ્વારા કરવામાં આવી હતી. “આ કેસની તપાસ કરવામાં આવશે.”

પૌડ્યાલ પહેલા રાજ્ય વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર હતા અને બાદમાં રાજ્યના વન મંત્રી બન્યા હતા. 70 અને 80 ના દાયકાના અંતમાં રાજ્યના રાજકીય રીતે તેમને મહત્વપૂર્ણ માનવામાં આવતા હતા. તેમણે ‘રાઇઝિંગ સન પાર્ટી’ની સ્થાપના કરી હતી. તેમને સિક્કિમના સાંસ્કૃતિક અને સામાજિક માળખાની ઊંડી સમજ હતી.

મુખ્યમંત્રી પીએસ તમંગે પૂર્વ મંત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “હું આરસી પૌડ્યાલ જ્યુના આકસ્મિક અવસાનથી ખૂબ જ દુઃખી છું. તેઓ એક વરિષ્ઠ નેતા હતા જેમણે સિક્કિમ સરકારમાં મંત્રી સહિત વિવિધ હોદ્દાઓ પર સેવા આપી હતી.

Exit mobile version