1. Home
  2. Tag "Canal"

પાલનપુરના ગઢ વિસ્તારની કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતો સિંચાઈ કચેરીને તાળાંબંધી કરશે

પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુરના ગઢ વિસ્તારમાં કેનાલમાં પાણી છોડવામાં ના આવતા રવિ પાક સુકાઈ રહ્યો છે. આથી  200 જેટલાં ખેડૂતો પાલનપુરમાં આવેલી સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. અને જો ચાર દિવસમાં પાણી નહીં છોડાય તો કચેરીએ ધરણાં કરી તાળાબંધીની ચિમકી ઉચ્ચારી હતી. ખેડૂતોને ચાર દિવસ સુધી કેનાલમાં પાણી નહિ મળે તો ગુજરાત હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવશે. […]

શેત્રુંજી ડેમમાંથી રવિ પાક માટે પાણી છોડાતા 11500 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે

ભાવનગરઃ જિલ્લાના તળાજા, ઘોઘા અને પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમ ડાબા અને જમણા કાંઠા કેનાલ વિસ્તારના ખેડુતોએ રવિપાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવાની માગણી કરાતા સિંચાઈ વિભાગ દ્વારા બન્ને કાંઠા વિસ્તારની કેનાલોમાં 50-50 ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડુતોને રાહત થઈ છે. સિચાઈ ભાગ દ્વારા ખેડુતોની માગ મુજબ જરૂર પડે તો વધુ પાણી છોડવાની પણ હૈયાધારણ આપવામાં […]

પાલનપુરના નજીક કેનાલનું નાળું તૂટી જતાં પાણીનો વેડફાટ, ખેડુતોએ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ

પાલનપુરઃ તાલુકાના ગઢ ગામમાંથી પસાર થતી દાંતીવાડા બ્રાન્ચ કેનાલ નવુ બનાવેલું નાળુ તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. નવા બનાવેલા નાળામાં પ્રથમ પાણી છોડાતા જ ગાબડું પડતા ચારેબાજુ પાણી ફરી વળ્યા હતા. આ બાબતની જાણ સિંચાઈ વિભાગને કરાતા  તાત્કાલીક સમારકામ શરૂ કરવામાં આવ્યુ હતુ. પાલનપુરના ગઢ વિસ્તારમાંથી પસાર થતી દાતીવાડાની થ્રી એલ માઇનોર […]

ભાદર ડેમ-1માંથી કેનાલમાં પાણી છોડાતા 48 ગામની 5000 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે

રાજકોટઃ સૌરાષ્ટ્રના બીજા નંબરના મોટા ગણાતા ભાદર ડેમ- 1માંથી  રવિપાક  માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે કેનાલ બેકાંઠે વહેતી થતા આ વિસ્તારના ખેડૂતોના ચહેરા મલકી ઉઠ્યા છે. આ વર્ષે ખૂબ સારા વરસાદને પગલે ભાદર ડેમ ચોમાસામાં અનેકવાર ઓવરફલો થયો હતો. જેને કારણે ડેમમાં નોંધપાત્ર પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા શિયાળુ પાક […]

વડોદરાના સમા-સાવલી રોડ નજીક કેનાલમાં નહાવા પડેલા બે કિશોરો ડૂબ્યા, એકનું મોત, એક લાપત્તા

વડોદરાઃ ગુજરાતમાં તળાવો, ડેમ, કેનાલો અને નદીઓમાં ડૂબી જવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વડોદરાના સમા-સાવલી રોડ નજીક પસાર થતી કેનાલમાં ન્હાવા પડેલા બે કિશોરો ડૂબી જતા લાપતા થઇ ગયા હતા. લાપતા થઇ ગયેલા બે કિશોરો પૈકી કિશોરનો મૃતદેહ  10 કિલોમીટર દૂર સેવાસી પાસેથી કેનાલમાં મળી આવ્યો હતો. બંને કિશોરોના કપડાં અને સાઇકલ કેનાલ ઉપરથી […]

થરાદ શહેર માટે રિઝર્વ રખાયેલા પાણીની ચોરી ન થાય તે માટે કેનાલ પર 200 SRP જવાનો ગોઠવાશે

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં હાલ મરામતનું કામ ચાલી રહ્યું છે.એટલે કેનાલમાં નર્મદા નીર ઠાલવવાનું બંધ કરાયું છે. ત્યારે થરાદ શહેરને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે કેનાલમાં પાણી ભરી દેવામાં આવ્યું છે. અને એમાંથી પાણી ખેચીને થરાદને પુરૂ પાડવામાં આવી રહ્યું છે. બીજી બાજુ કેનાલ પાણીથી ભરેલી હોવાથી કેટલાક […]

વઢવાણ તાલુકાની નર્મદા કેનાલમાં પાણી ન છોડાતા ખેરવા ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કર્યો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના કેટલાક તાલુકાઓમાં નર્મદા યોજના કેનાલનો સારોએવો લાભ મળતા કૃષિ ઉત્પાદમાં પણ વધારો થયો છે. જોકે પેટા કેનાલમાં જરૂરિયાતના સમયે જ પાણી છોડવામાં આવતું ન હોવાની પણ ખેડુતોમાં ફરિયાદો ઊઠી છે. વઢવાણ તાલુકાના ખેરવા ગામના ખેડુતો રવિપાકને બચાવવા મથામણ કરી રહ્યા છે. ત્યારે કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતોએ ખાલી કેનાલમાં ઉતરીને વિરોધ કર્યો હતો. […]

થરાદ નજીક નર્મદાની નહેર નીચે બનાવેલું નાળું ખેડુતો માટે બન્યુ આફતરૂપ, ખેતરોમાં પાણી ભરાયા

પાલનપુરઃ  જિલ્લાના થરાદ તાલુકાના જમડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર નીચે બનાવેલા વરસાદી પાણીના નિકાલ માટેનું નાળું ખેડુતો માટે આફતી બની જતાં ખેડૂતોના ખેતરો જળબંબાકાર બની ગયા છે. જેના પગલે ખેતરોમાં ઢીંચણસમું પાણી હજુ પણ ભરાયેલું હોવાથી પાક નિષ્ફળ જવા પામ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ થરાદ તાલુકાના જમડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય […]

સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો દીયોદર પ્રાંત કચેરીએ ઘરણાં કરાશે

પાલનપુર : ઉનાળાની અસહ્ય ગરમીમાં બનાસકાંઠાના અનેક ગામડાંમાં પીવાના પાણી સમસ્યા ઊભી થઈ છે. સાથે જ કાંકરેજ, દિયોદર, લાખણી, ડીસા અને થરાદ તાલુકામાં ખેડુતો સિંચાઈના પાણી માગ કરી રહ્યા છે. કેનાલમાં અગાઉ પાણી છોડવાની ખાતરી આપી હતી. પણ તંત્રએ ખેડુતોની વાત ન સાંભળતા હવે આ વિસ્તારના ખેડુતો આંદોલનનું રણશિંગું ફુકવાની તૈયારીઓ કરી રહ્યા છે.  જિલ્લાની […]

મહેસાણામાં નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે પાણી 31મી માર્ચ સુધી ચાલુ રાખવા માગ

મહેસાણાઃ જિલ્લામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવતું પાણી 15 મી માર્ચથી બંધ કરવાની જાહેરાત કરાતા  બેચરાજી વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે. જો કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે તો ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી શંકા વ્યક્ત કરી છે ખેડૂતોના હિતમાં આગામી 31મી માર્ચ સુધી કેનાલોમાં નર્મદા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code